લાડકી
ફોકસ: સંસ્કૃતિ રક્ષક

-ઝુબૈદા વલિયાણી
સ્ત્રીઓ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. એના અનેક કારણ છે. એમાં સૌથી મોટું કારણ એ વખતે એ પોતાના સર્જકતા અને કલ્પકલાની સવિશેષ રજૂઆત કરી શકે છે. એટલું જ નહીં એક વણજાહેર કરેલી સ્પર્ધા દ્વારા એ પોતાનું સમાજમાં સ્થાન ઊભું કરી શકે, ઊણપો જાણીને સુધારવાનું વિચારી
શકે છે.
સ્ત્રીને મન ઉત્સવ એટલે સોળ શણગાર સજવાનું બહાનું છે એવી દલીલ ઘણા લોકો કરતા હોય છે, પરંતુ એ વાત ખોટી છે. કારણ શણગાર સજાવટ સ્વયં એક કલા છે એ વાસ્તવિકતાને તેઓ ભૂલી જાય છે.
જો સ્ત્રીમાં શણગાર સજાવટનો સંસ્કાર આદિ સ્ત્રીએ રેડયો ન હોત તો
- દાગીના * ટીલી – ટપકી, * આભૂષણો, * ફેશન,
- રંગબેરંગી ચીજવસ્તુઓ, કંઇ કરતાં કંઇ વિકસ્યા ન હોત અને
- જગતની કલા માત્ર મ્યુઝિયમોમાં પડી રહેતી હોત, પરંતુ સ્ત્રીની દૃષ્ટિએ એને
- રસોડા-શયનખંડ અને ટોઈલેટ સુધી ખેંચી લાવી છે.
- પુરુષ આ બધાનું ઉત્પાદન કરતો હોય છે, પરંતુ મંજૂરીનો માર્કો જયાં સુધી સ્ત્રીનો નથી લાગતો ત્યાં સુધી એની કોઇ વેલ્યુ નથી બનતી.
- એક દાખલો આપું તો શ્રેષ્ઠ કલાકૃતિ જેવાં આભૂષણો કોઇ ઝવેરી તૈયાર કરે પણ જો સ્ત્રી એ પહેરે નહીં તો?
- પુરુષ બધા દાગીના પહેરે તો પણ એનો ભાવ સ્થિર જ રહેશે, પણ
- સ્ત્રી જયારે એને યોગ્ય રીતે પહેરશે ત્યારે જ એનું મૂલ્ય વધી જશે.
- અને એટલે સ્ત્રી ઉત્સવમાં ખૂબ રસપૂર્વક ભાગ લે છે એ ત્યારે જ સાબિત થાય છે. જયારે એ પોતાની આનંદની અનુભૂતિને સૌંદર્ય સજાવટ દ્વારા વ્યક્ત કરે છે.
- જગતનો એક ઉત્સવ એવો નથી જેમાં સ્ત્રી ન હોય તો ચાલે એમ કોઇ કહેવા તૈયાર થાય.
- કારણ સ્ત્રી ખુદ ઉત્સવનો દેહ છે. એની પાસે
- હર્ષ,
- આનંદ વ્યક્ત કરવા માટે એટલી બધી રીત છે કે પુરુષ કયારેય એની સ્પર્ધામાં ઊતરી શકે તેમ નથી.
- રામ ખલનાની નામના એક સમાજ વૈજ્ઞાનિકના કહેવા મુજબ જો માનવ સ્વભાવના ભૌતિક અને આધિ ભૌતિક એમ બે ભાગ કરી એના પ્રતીક પસંદ કરવાના હોય તો.
- પુરુષ એ ભૌતિક ભાગનું પ્રતીક છે અને
- સ્ત્રી આધિ ભૌતિકવાદનું.
- આમાં
- ધર્મ, * પ્રદેશ, * ભાષા, * કશાનો ભેદ નડતો નથી.
- આ વ્યાખ્યા વિશ્વવ્યાપી છે અને પરિણામે જ સંસ્કૃતિ રક્ષક તરીકે સ્ત્રીની કલ્પના કરવામાં આવી છે, જેમાં ઉત્સવનો પણ સમાવેશ થાય છે.
- સ્ત્રી જયારે પ્રસંગને અનુરૂપ
- પહેરવેશ,
- દાગીના ,
- શોભન ચિન્હો ધારણ કરે છે ત્યારે એ પ્રસંગના
- ગાંભિર્ય,
- ગૌરવ,
- ગરિમા અને
- ગણિત
- બધાનો સમાવેશ કરે છે અને સ્ત્રી જ મૂડમાં પલ્ટી શકે છે. પ્રસ્તુત લેખનો ત્રીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચીશુ અને શુભ કાર્યોમાં
સહધર્મચારિણીને અત્યંત આવશ્યક જ નહીં અનિવાર્ય ગણવામાં આવી તે વિશે હજુ વધુ જાણીશું.
પ્રેરણાસ્ત્રોત
સૌંદર્ય અને સંસ્કૃતિ બન્ને પ્રત્યે સ્ત્રીજાતી પુરુષ કરતાં વધુ આદર ધરાવતી હોય છે.
આ પણ વાંચો….ફોકસ : સ્ત્રીઓમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ પુરુષ કરતાં વધુ કેમ હોય છે?