ફોકસ : બૈરી એટલે કોણ? પત્ની કોને કહેવાય? | મુંબઈ સમાચાર
લાડકી

ફોકસ : બૈરી એટલે કોણ? પત્ની કોને કહેવાય?

  • ઝુબૈદા વલિયાણી

‘પત્ની’.

  • સંસ્કૃત ભાષાના આ શબ્દનો અર્થ થાય છે,
  • ઈશ્ર્વરીય કાર્ય માટે સાથ આપનાર,
  • તન-મનથી ઘસાવાની વૃત્તિ રાખનાર,
  • તે માટે ખડે પગે ઊભી રહેનારને કહેવાય પત્ની.
  • મહર્ષિ વશિષ્ઠના યજ્ઞીય કાર્યમાં ખભેથી ખભા લગાવી ઊભી રહેનાર અરુંધતીને પત્ની કહેવાય.
  • માટે જ તેમના જ્વલંત કર્મયોગના પરિપાક સ્વરૂપ રઘુકુળમાં એકથી એક ચડિયાતા ચારિત્ર્ય સંપન્ન રાજાઓ નિર્માણ થયા હતા.
  • આદર્શ રામરાજ્ય ઊભું થયું હતું.
  • તેવી જ રીતે મહર્ષિ અત્રિ સાથે જ તપ કરનાર સતી અનસૂયાને પત્ની કહેવાય.
  • માટે જ તેમને ત્યાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો.
  • પુત્રધર્મનું અનુસરણ કરી જ્યારે શ્રી રામચંદ્ર ચૌદ વર્ષ જંગલમાં જવા તૈયાર થઈ જાય છે ત્યારે ‘તમે મને પૂછ્યા વગર જ આવો નિર્ણય કેમ લીધો’ કે
  • તમને પરણીને પણ મને શું સુખ મળ્યું?
  • તેવી ફરિયાદ કે છણકા કર્યા વગર,
  • કોઈ દલીલ કર્યા વગર
  • પતિ સાથે હઠ કરે છે કે,
  • ‘મને પણ જંગલમાં તમારી સાથે લઈ જ જાઓ.’
  • તે માતા સીતાને કહેવાય પત્ની.
  • પત્ની શબ્દનો સમાનાર્થી શબ્દ છે. ‘સહધર્મચારિણી.’

‘મુંબઈ સમાચાર’ના આ ‘ધર્મતેજ’ વિભાગને નિયમિત વાચતા વ્હાલા વાચક મિત્રો!

  • તો પછી સવાલ એ ઊભો થશે કે-
  • બૈરી એટલે કોણ?
  • સંસારના ભાગોમાં જ જેની ભાગીદારી છે તેને કહેવાય બૈરી?

રાજમાતા બનવાની અબળખાએ કૈકયી રાજા દશરથ પાસે બે વરદાન માગે છે કે

  • રામચંદ્રને ચૌદ વર્ષનો વનવાસ આપો અને ભરતને રાજગાદી આપો.
  • રાજા દશરથને તો શું, આખી અયોધ્યાને આ નિર્ણય પચાવવો ભારે પડ્યો.
  • એક ક્ષણ પહેલા સુખની ટોચ પર મહાલતું કુટુંબ બીજી ક્ષણે દુ:ખની ખાઈમાં ધકેલાય ગયું તે કૈકેયીને કારણે.
  • આ કૈકેયી એ બૈરીનું દૃષ્ટાંત છે.
  • પતિને આંખો નથી એટલે ગાંધારીએ પણ છતી આંખે આંધળાપણું વહોર્યું.
  • પતિ જ તેનો પરમેશ્ર્વર છે આવું માનતી ગાંધારી પતિનાં દરેક કુટિલ કર્મો જોતી રહી.
  • પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવી દેવાની યોજના થઈ તે ગાંધારીએ જોઈ છતાં વિરોધ ના કર્યો.
  • ભીમસેનને ઝેર ખવડાવવામાં આવ્યું તે પણ ચૂપચાપ જોતી રહી.
  • કૌરવોએ કુટિલતાથી પાંડવોનું રાજ્ય હડપી લીધું તે પણ જોયા કર્યું.
  • સો કૌરવોનાં નામ જુઓ: દુર્યોધન, દુ:શાસન, દુશીલા…. મોટા ભાગનાં નામોની આગળ દુસ્ પ્રત્યય છે.
  • દુસ્નો અર્થ થાય છે દુષ્ટ અથવા દુ:ખી.
  • બધી ઓલાદ દુષ્ટ અથવા દુ:ખી થઈ તેનું કારણ ગાંધારી છે.
  • ગાંધારી એ બૈરીનું બીજું દૃષ્ટાંત છે.

બોધ:

  • પતિ દારૂ પીવા બારમાં જાય તો તેને ચૂપચાપ સહમતી આપે તેને પતિવ્રતા ના કહેવાય, પણ પતિને ખોટા માર્ગે જતાં રોકે,
  • યેનકેન પ્રકારેય પતિને અસત્ય માર્ગે ના જવા દે તેને પતિવ્રતા કહેવાય.
  • હવે દરેક સ્ત્રીએ જ મનથી વિચાર કરી નિશ્ર્ચય કરવાનો છે કે તેણે પત્ની બનવું જોઈએ કે બૈરી…?

    આ પણ વાંચો…ફોકસઃ સમાજની વિધાતા સ્ત્રી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button