
ગુલઝાર સાહેબની થોડાં વર્ષો પૂર્વે આવેલી `હુતુતુ’ નામક ફિલ્મમાં બળવાખોર નાયિકા તબ્બુ એક સંવાદ બોલે છે:
-`યે સભી ગાલિયાં મા-બહેનસે હી ક્યો બની હૈ…?’
- એક જ લાઈનના આ સંવાદમાં ગુલઝાર સા’બે આજના સમાજમાં નારીની પરિસ્થિતિનો ચિતાર ખડો કરી દીધો છે.
- નારી એટલે તુચ્છ ચીજ વસ્તુ,
- નારી એટલે મિલકત.
- નારી એટલે ગુલામ.
- પુરુષ પ્રધાન સમાજમાં નારીને એટલી હદ સુધી તુચ્છ અને ઉતરતી કક્ષાની ગણવામાં આવે છે કે તમામ ભૂંડી ગાળો પણ મા-બહેન ઉપરથી શરૂ થાય છે.
- મુઠ્ઠીભર નારીવાદી મહિલાઓ નારીને આ સ્થિતિમાંથી બહાર લાવવા વર્ષોથી પ્રયાસ કરી રહી છે. પછી તે કોઈ પણ સમાજની હોય! સ્ત્રીઓએ પરણ્યા પછી `દીકરી ને ગાય દોરે ત્યાં જાય…’ની કહેવત મુજબ પતિના ઘરે જઈને તેની, કુટુંબ- પરિવારની જિંદગીભર ગુલામી કરવાની હોય છે.
- ત્યાં તેણે પતિ અને સાસરિયાઓનાં કહ્યામાં રહેવાનું.
- ચૂલો અને ઘર-ગૃહસ્થી સંભાળવાના
- તમામ પ્રકારની બાંધછોડ પણ તેણે જ કરવાની.
- અભણ કે સુશિક્ષિત તમામ સ્ત્રીઓની આજે ચાંદ ઉપર પગલાં માંડી આવેલી સ્ત્રીઓના આધુનિક જમાનામાં પણ- વધતે ઓછો અંશે આ જ ગતિ છે. દલિત, મુસ્લિમ, સવર્ણો જેવા સમાજનું પ્રમાણ તેમાં નોંધપાત્ર છે.
- ક્નયા જન્મે ત્યારથી આ બધી સલાહ તેને પતિગૃહે વળાવાય ત્યાં સુધી સતત અપાયા
કરે છે. - બીજા શબ્દોમાં કહીએ તો ઈરાદાપૂર્વક તેને આપણે એક ભાવિ ગુલામ તરીકે જ ઉછેરીએ છીએ.
- બદલામાં તેને
- ત્યાગમૂર્તિ…
- કરૂણામૂર્તિ જેવા રૂપકડા વિશેષણો જ માત્ર મળે છે,
- `દીકરીને ગાય દોરે ત્યાં જાય’ જેવી કહેવતો,
-`દીકરી તો પારકી થાપણ કહેવાય’ જેવા રૂઢિપ્રયોગો અને લગ્ન વખતે ક્નયાદાનની પ્રથા…
- આ બધા રીત-રિવાજો,
- બધી સલાહો અને
- ભૂંડી ગાળો
- સમાજમાં પરાપૂર્વથી સ્ત્રીઓ સામે ચાલતા ષડયંત્રનો પુરાવો આપે છે.
- લગ્નમંડપમાં કોઈ મા-બાપે શા માટે `ક્નયાદાન’ આપવું જોઈએ?
- શું ક્નયા તેમની મિલકત છે?
- ક્નયા તેની ચીજવસ્તુ છે કે તેમના અંતરનો અંશ?
- ક્નયા નિર્જીવ વસ્તુઓનું પોટલું છે કે એક જીવતું જાગતું અરમાનભર્યું અસ્તિત્વ?
- તમને શું લાગે છે?
- શા માટે દીકરીએ ગાયની જેમ તેને દોરીએ ત્યાં જવું જોઈએ?