ઈન્ટરવલ

મગજ મંથન : ખુશ રહેવું છે? એના માટે પૂર્વ શરત છે સકારાત્મક વિચાર…

  • વિઠ્ઠલ વઘાસિયા


    ખુશી તથા પ્રેમ એક એવી ઊર્જા છે, જે જેટલી વહેંચશો એટલી આપણી અંદર વધતી જશે.

આપણે જેવું વિચારીએ છીએ એવું જ ફળ મળે છે. કેટલાક સંશોધનોના નિષ્કર્ષ પરથી સ્પષ્ટ થયું છે કે આપણી વિચારસરણીની આપણી કાર્યક્ષમતા પર જબરી અસર પડે છે.

જો આપણે આખા દિવસ દરમિયાન મોટાભાગે નકારાત્મક વાત કરીએ તો ધીરે-ધીરે આપણી વિચાર શક્તિ પણ નકારાત્મક બનવા લાગે અને આખી દુનિયા આપણને ખરાબ જ લાગે.

જો આપણે એવો સંકલ્પ કરીએ કે આજે આખા દિવસ દરમિયાન સારું જ વિચારવું છે તો ચોક્કસ આપણો આખો દિવસ સારો જશે.તમે આ પ્રયોગ અઠવાડિયા પૂરતો કરી જુઓ. પછી તમારું જીવન બદલાઈ રહ્યું છે તેવું લાગશે.

જે વ્યક્તિ નાની નાની વાતમાં ગુસ્સો કરે છે એ આખો દિવસ તનાવમાં રહે છે. મનમાં સતત નેગેટિવ વિચાર જ આવ્યા કરશે.

જો તમારી સાથે આવું થતું હોય તો તમે કોઈ સારાં મનગમતાં કામમાં તમારું મન પરોવો. સારું સંગીત સાંભળો -સારાં કાવ્યો કે પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાથી તમને હળવાશ અનુભવાશે.

જીવનમાં સફળતા મેળવવા ઈચ્છતા હો તો નકામી ચર્ચા કરવાનું ટાળો. એનાથી સમય વેડફાય સાથે સાથે તાણ પણ અનુભવાય છે.

સકારાત્મક વિચારસરણી માટે આપણી જીવનશૈલીમાં થોડું પરિવર્તન કરવું જોઈએ.

આ પણ વાંચો…મગજ મંથન : અહંકાર માણસની દ્રષ્ટિને આંધળી બનાવી દે છે…

દરરોજ કંઈક નવું કરવાનું વિચારો. જો આપણે હંમેશાં સકારાત્મક જ વિચારતા રહીશું, તો આપણને આપોઆપ ખુશીનો અનુભવ થશે.

આમ જોઈએ તો જીવનમાં ખુશી મેળવવા માટે સકારાત્મક વિચાર પૂર્વ શરત છે. જ્યારે આપણે ખુશીની વાતો કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે તે આપણા મનની સ્થિરતા બતાવે છે. બીજી વ્યક્તિ કાંઈ પણ કામ કરતી હોય, પરિસ્થિતિ પણ ગમે તેવી કેમ ન આવે, પરંતુ આપણે મનથી દૃઢ અને સ્થિર રહેવાનું છે.

કઈ કઈ વાતો છે કે જે તમારી ખુશી પાસેથી છીનવી લે છે? એવી ઘણી વાત છે કે જે દિવસ દરમિયાન બનતી રહે છે અને તેની ખબર પણ પડતી નથી કે આવું શા માટે થઈ રહ્યું છે?

આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા જોકે, એક વાર તમે નક્કી કરી લો કે ‘હું તો એક
ખુશ રહેવાવાળી વ્યક્તિ છું. મારી ખુશી બીજા ઉપર આધારિત નથી. મારે નિર્ણય કરવાનો છે કે મારે ખુશ રહીને તમામ કાર્ય કરવાના છે…. ’ તો સવારે ઊઠતા સમયે પહેલો વિચાર આ જ આવશે….!

સામાન્ય રીતે આપણને જે નકારાત્મક વિચારો આવે છે. એને વિચારોને બદલવાના છે કે હું હંમેશાં પહેલેથી જ ખુશ છું અને ખુશીથી કામ પર જઈ રહ્યો છું…

આપણો હેતુ એ હોવો જોઈએ કે આજે મારે કામના સ્થળે બધા સાથે પ્રેમ, શાંતિ અને ખુશીની ઊર્જા આપ-લે કરવાની છે.

એનાથી તમારા જીવનનો ઉદ્દેશ જ બદલાઈ જાય છે.

આપણે પોતાનું એ પણ ચેકિંગ કરવું જોઈએ કે ઓફિસમાં આખો દિવસ કેવી રીતે પસાર થાય છે? તેનો આધાર સવારે આપણે જે વિચારો કર્યા હતા તેના ઉપર હોય છે.તેના આધારે જ બીજા દિવસે સવારે વિચારો ચાલે છે.જો ઓફિસમાં આખા દિવસ દરમિયાન આપણે સંઘર્ષ અને ચિંતાનો અનુભવ થાય છે તો એની અસર પછીના દિવસો પર પણ પડે છે. પછી આપણે ના છૂટકે નકારાત્મક વિચારો સાથે ઓફિસ જઈએ છીએ. પણ તેની જગ્યાએ જો આપણે મનની સ્થિરતા સાથે ભરપૂર ઊર્જા સાથે ખુશી – ખુશી ઓફિસ જોઈએ અને દિવસ દરમિયાન નાની-નાની વાતોમાં અશાંત ન થાવ તો તો તમારો દિવસ બહુ સારો પસાર થશે.

આમ ખુશી તથા પ્રેમ એક એવી ઊર્જા છે કે જે જેટલી વહેંચશો એટલી આપણી અંદર વધતી જશે….

આ પણ વાંચો…મગજ મંથન : પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે, નજરે પડે પણ એ જીવંત નથી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button