ઔર યે મૌસમ હંસીં… ઃ બધાને પજવી રહ્યો છે `તમને શું લાગે છે…?’નો ચેપી રોગ
માણસ પાસે ખરેખર વાતોના વિષય ઘટી રહ્યા છે?

દેવલ શાસ્ત્રી
એક અભ્યાસ મુજબ માણસ વાતચીતની શરૂઆત હવામાનથી કરતો હોય છે. યુરોપમાં ઠંડી અને ભારતમાં ગરમી પર ચર્ચા સૌથી સરળ છે. હવામાન પરથી પર્યાવરણને ચર્ચીને પછી ક્રિકેટ કે ફિલ્મની વાતો…
જોકે, આ બધાને એક જ વિષય આંબી જાય છે અને જેના વિશે દરેક પાસે અપૂરતું જ્ઞાન છે. આ વિષય એટલે રાજકારણ…! બસ, એ પછી વાત કે ચર્ચાનો કોટા ખલાસ!
આપણી ચર્ચાઓ મર્યાદિત વિષયમાં અટકી ગઈ છે. પ્રશ્ન એ છે કે શા માટે આપણી પાસે અવનવી વાતોનો ખજાનો ખૂટવા લાગ્યો છે? એક સમયે આપણને એવી વ્યક્તિને મળવું ગમતું હતું જેમની પાસે અનેક વિષયોનું પ્રગાઢ જ્ઞાન હોય. એનો અર્થ એવો થયો કે વ્યક્તિને નવીનતામાં રસ રહ્યો નથી. વ્યક્તિ જાતજાતના શોખ, પ્રવાસ કે વાંચન માટે સમય ફાળવી શકતો નથી. આજકાલ માણસ એટલો વ્યસ્ત હોય છે કે એની પાસે સામાજિક મેળાપ માટે પણ પૂરતો સમય હોતો નથી. સોશિયલ મીડિયાએ વ્યક્તિની સ્વતંત્ર રીતે વિચારવાની ક્ષમતા પર મોટો ફટકો માર્યો છે. સૌથી મોટી સમસ્યા એ છે કે વ્યક્તિ પોતે ખુલ્લો પડી જશે એ ડરને કારણે પ્રશ્ન પૂછતાં ડરતો હોય છે. આ બધાં કારણને લીધે વ્યક્તિ પાસે જ્ઞાન ઘટવા લાગ્યું છે, પરિણામે સંવાદ માટે વિષયો પણ ક્રમશ :ઘટી રહ્યા છે.
જ્યારે સંવાદ ઘટવા લાગે એટલે નવા વિષય પણ સૂઝતા નથી. કલાકો સુધી સાથે બેસવા છતાં નવા ટોપિક પર વાત કરતા મુશ્કેલી પડતી હોય છે. જ્યારે સમૂહમાં લોકોને ચર્ચા કરતાં જોઈએ છે ત્યારે ટાઈમપાસ માટે સૌથી સહેલો વિષય છે રાજકારણ.
રાજકારણની વાત આવે એટલે એકવાર સામી વ્યક્તિનું મન ચકાસી લેવું જરૂરી છે. એ કઈ વિચારધારામાં માને છે એ તપાસવા-જાણવા માટે કોમન સવાલ પૂછવામાં આવે છે :
`તમને શું લાગે છે?’
હું તો એવું માનું છું કે તમને શું લાગે છે?' કદાચ આજકાલ ગુજરાતીઓનું આ સૌથી વધુ બોલાતું વાક્ય છે. કોઈ અજાણ્યો વ્યક્તિ મળે એટલે આપણને પૂછે,
તમને શું લાગે છે?’ આપણે ભોળાભાવે પૂછીએ કે શેનું?' એટલે એ કહેશે કે
સાહેબનું…’. આપણે પૂછીએ કે સાહેબને શું થવાનું છે?' એટલે જવાબ આપે
ભાજપ રહેશે કે પછી નાયડુ કે નીતીશ નવાજૂની કરશે?’ આપણે કહેવું પડે કે, `નાયડુજી કે નીતીશકુમાર મારા દૂર દૂરના સગામાં નથી. એમનો અને મારો કોઈ પરિચિત કોમન નથી. એ બંને મારા ફેસબુક ફ્રેન્ડ પણ નથી. અમે કોઈ આધ્યાત્મિક ગુ પણ નથી કે ભવિષ્યમાં શું બનવાનું છું એ જાણતા હોઇએ.
`બિહારમાં કોણ આવશે, તમને શું લાગે છે?’
`અરે ભાઇ, હું કંઇ સર્વે કરવા જઉં છું? આપણે આ પાકિસ્તાનનું શું કરવું જોઈએ, તમને શું લાગે છે?’
આવા સવાલ વખતે આપણે કહીએ કે મોદીસાહેબ છે ત્યાં સુધી બધું સલામત છે, ભવિષ્યની વાત ભવિષ્યમાં કરીશું.' આમ છતાં આ પ્રજાતિ આપણો પીછો છોડતી નથી. તરત કહેશે,
પહેલા તો કોઈ ચોક્ક્સ રાજકીય વિચારધારા માટે ના પાડતા હતાં…’ એટલે આપણે કહીએ કે `અમે આજકાલ ખેસ પહેરી લીધો છે!’.
આમ જુઓ તો આવા બધા પ્રશ્નકર્તાઓ અંદરથી પોતાની હોંશિયારી દેખાડવા જ ચર્ચા કરવી છે… પોતાનું વાહિયાત `વોટ્સઅપ યુનિવર્સિટી’નું જ્ઞાન દેખાડવું છે. આવા ભાઇઓ રાહ જોતા હોય કે તમે કોઈ વાતે અસહમત થાવ તો એ આક્રમક બેટિગ કરી શકે. હા, જો તમે એની દરેક વાતમાં સહમતી દેખાડો તો એ ભાઇનો મૂડનું ફ્યુશ ઊડી જાય …
ખાસ તો આપણા દેશી અમેરિકાવાળા ફોન કરે ત્યારે દેશની ચિંતામાં ફોન પર અડધો અડધો થઇ જાય. અમેરિકા એના ટ્રમ્પ કે બાઇડનને સાચવી ન શકે પણ આપણી અડધી રાત્રે ફોન કરીને પૂછે, તમને શું લાગે છે?' મોદીજી આ વખતે પાંચ વર્ષ ટકશે ખરા?
વાત બદલવા આપણે ભૂલમાં કહીએ કે ફલાણા સંબંધીની તબિયત સારી નથી, તો તરત જ પૂછે `તમને શું લાગે છે?’ અલ્યા, હું કંઈ ડોક્ટર છું?
ઇવન કેટલાક મહાનુભાવોને ઠંડી લાગે તો આપણને પૂછે, વાયરલ હશે કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ... તમને શું લાગે છે?' આપણે કંઈ વાઈરસના મામાના છોકરા છીએ કે એને ક્યો વાયરલ કરડ્યો છે એના ખબર આપણને આપે? . વળી આજકાલ એક નવો વિષય છે શેરબજાર. ક્યો શેર વધશે ને ક્યો પડશેથી શરૂ કરીને ફાઇનલી સરકારની સ્થિરતા પર તમને ઘેરવાની કોશિષ કરતાં પૂછશે કે
શું લાગે છે?’
અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યા, તો તમને શું લાગે છે ?' ...
બલૂચિસ્તાનનું શું થશે? તમને શું લાગે છે? ‘ એ તો સાં છે કે આ પ્રજાતિ મહાભારત યુગમાં ન હતી, બાકી ત્યાં પણ પૂછતાં હોત કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ દુર્યોધને કર્યું ત્યારે ભીષ્મ પિતામહે કેમ વિરોધ ન કર્યો...તમને શું લાગે છે?! ' ફાઇનલી,
તમને શું લાગે છે’ નો જવાબ એ નમૂનાઓએ વિચારેલો જ હોય છે, એને એ જ જવાબ જોઈએ છે, જેથી એનો ટાઇમપાસ થાય. જો એનો ગમતો જવાબ ન મળે તો ચર્ચા કરવાની વિકૃત મજા લેવી છે.
સૌથી દુ:ખદ એ છે કે અસંખ્ય બિનવિવાદાસ્પદ વિષયો પર તંદુરસ્ત ચર્ચા કરવા કોઈ તૈયાર નથી. બધાને ફાલતુ ચર્ચામાં મનોરંજન જોઈએ છે. પર્યાવરણ, શિક્ષણ, કૃષિ, ધાર્મિક સાહિત્ય, પ્રવાસન, પુસ્તકો, સિનેમા, પાકશાસ્ત્ર, વિદેશી ભોજન, વિજ્ઞાન, એઆઇ, વિદેશમાં તકો જેવા અસંખ્ય વિષયો પર વાતો કરી શકાય પણ આપણી કેસેટ એક જ જગ્યાએ વાગે છે અને એ છે કે `તમને શું લાગે છે?’
સોશિયલ મીડિયાના યુગમાં એક વાત નિશ્ચિત થતી જાય છે કે વાતો કરવા માટે આપણી પાસે ખરેખર વિષયો ખૂટવા લાગ્યા છે.