ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
હવામાન વિભાગ કયા વાતાવરણની આગાહી કરી શકતું નથી?
- કોઈના ઘરની (ને ટ્રમ્પ મિજાજની!)
મોસાળમાં માતાના બદલે મામી જમવાનું પીરસે તો? - મામાની જેમ ચૂપચાપ જમી લેવાનું.
હોઠ સાજા તો ઉત્તર ઝાઝા… પણ, હોઠ માંદાં હોય તો? - તો મગજમારી થાય…
મહાન ક્યારે બનાય? - લોકો બનાવે ત્યારે…
લિવ ઈન રિલેશનમાં છૂટાછેડા લેનારને શું કહેવાય? - લિવોર્સી….
અંધારામાં તીર છોડીએ તો ક્યાં વાગે? - અજવાળું થાય ત્યારે ખબર પડે!
મહેલ ક્યારે તૂટી પડે? - પત્તામાંથી બનાવ્યો હોય ત્યારે…
ધુમાડાના ગોટા ઊડે તો ભજિયા કે વડાં કેમ નહીં? - ભજિયા અને વડા વજનદાર હોય માટે…
કાળી રાત રંગીન રાત્રિ કેવી રીતે બને? - પ્રેમની રોશની પ્રગટાવીને…
આંખ મારીએ તો ક્યાં વાગે? - ન વાગવાની જગ્યાએ એ વાગે ને ઉઝરડાં પાડે ……..
મીઠું ઝહર ને ઝેરનો કડવો ઘૂંટડો…આવું જુદું કેમ?. - ઝેરમાં પણ ફ્લેવર- સ્વાદ હોય છે!
કિસ્મત એ કોનો મત છે? - ઈશ્વરનો પહેલો ને આખરી મત …
કાકાકાકી, મામામામી, માસામાસી, નાનાનાની.. એ રીતે રાજા રાજી કેમ નહીં? - એમાં રાણી વચ્ચે આવે ને?!
ઘી ઢોળાય તો ખીચડીમાં જ કેમ પડે? - ખીચડી સાથે ખાનગી ગઠ બંધન હોય એટલે…
શાળી પરિવારમાં કોણ ગણાય? - ભણશાળી, ભાનુશાળી, ભાગ્યશાળી, પ્રતિભાશાળી, વૈભવશાળી, વગેરે.
સૌથી સારો અને સૌથી ખરાબ વાર કયો? - પરિવાર અને ખુવાર…
અંધારામાં તીર મારીએ તો ક્યાં વાગે? - અજવાળું થાય ત્યારે ખબર પડે!