રમૂજી સવાલના મનમોજી જવાબ...

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

લલાટે લખાયેલા અને લમણે લખાયેલા વચ્ચે ફરક શું?

  • મહેમાન અને માથે પડેલા મહેમાન જેટલો….
    પૈસા વસૂલ ક્યારે થાય?
  • અલબત્ત, પૈસા ખર્ચ્યા પછી…
    ગ્રહ નડતરની ખબર કેવી રીતે પડે?
  • જ્યારે આપણો જ્યોતિષ પણ આડો ચાલવા માંડે ત્યારે.!
    નારદ મુનિ આજે જીવતા હોત તો?
  • પોલીસ ફરિયાદ અને કોર્ટ કેસમાં ઉછાળો આવે…
    અમદાવાદી ભગવાન પાસે કયું વરદાન માગે?
  • એ જ કે ‘હું મિસ્કોલ મારું ને તું તરત પ્રગટ થા!’
    જન્માષ્ટમીએ જુગાર રમાય. અને નોમના દિવસે?
  • પારણાં કરવાના અને જુગાર રમતાં પકડાયા હોય એને જામીન અપાવવાના….
    કોનો વાળ કોઈ વાંકો ના કરી શકે?
  • ટાલિયાનો…
    ગાંડો ગામ વસાવે. તો ડાહ્યો?
  • ઘર વસાવે…
    સ્ત્રીના વાળ લાંબા કેમ હોય?
  • કામ પડતાં મૂકીને વાળ ઓળવાની ક્રિયામાં વધુ ટાઈમપાસ કરી શકે એટલે…
    પત્નીને ટાલ પડે તો?
  • પતિએ પણ ટકલું કરાવવું પડે…
    ‘દેખા હૈ આંખોમેં પ્યાર.’ તો મન અને દિલના પ્રેમનું શું?
  • બેન્ક લોકરમાં સાચવીને રાખવાના.
    સત્તા આગળ શાણપણ નકામું. તો શું કામનું?.
  • તમારી બેન્ક બેલેન્સ!
    પાણી પૂરીવાળા હડતાળ પર જાય તો?
  • એની તીવ્ર પ્રતિક્રિયા સૌપ્રથમ તમારા રસોડામાં આવે!
    ભલી વ્યક્તિ કોને ગણવી?
  • લોન લઈને પણ આપણને જે ઉછીના પૈસા આપે એ!
    ફરી લવ સ્ટોરીની ફિલ્મોનો જમાનો આવી ગયો?
  • હા, ભૂતડા ભૂતડી જોયા પછી પ્રેમલા-પ્રેમલીનો વારો તો
    આવેજ ને ?!

આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button