ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
નાક દબાવવાથી શું થાય?
Also read : રમૂજી સવાલના મનમોજી જવાબ
- સામેવાળી વ્યક્તિ પૈસેટકે હળવી થાય .
શેઠ-બોસની શિખામણ ઝાંપા સુધી તો પત્નીની? - પત્નીની શિખામણ લગ્ન ટકી રહે ત્યાં સુધી..!
ઈ- કંકોત્રી મોકલનારને ઈ- ચાંલ્લો મોકલીએ તો ચાલે? - હા, એ પણ ઈ- જમણવાર યોજશે !
સમૂહ લગ્નની જેમ સમૂહ છૂટાછેડા કેમ થતાં નથી? - ધાર્યા કરતાં વધુ દંપતી છૂટા પડવા ઊમટી ન પડે એ માટે!
બાળ હઠ, સ્ત્રી હઠ – રાજ હઠથી વધારે અઘરી હઠ કઈ? - જામી પડેલા મહેમાનોની અતિથિ હઠ.
દાંતનું ચોકઠું રંગીન હોય તો? - એ માટે ચહેરો પણ રંગવો પડે
શેરમાર્કેટમાં ધોવાણ પછી રોકાણકારો રડે પછી શું ? - રડવા દો તેજી વખતે આપોઆપ હસવા માંડશે
ટાલવાળા કેવી રીતે નસીબદાર ગણાય? - હેર-કટ અને હેર- ઓઈલનો ખર્ચ બચે એટલે!
‘વીર…વાળો’ ટાઈટલની ગુજરાતી ફિલ્મો કેમ હવે બનતી નથી? - કોઈ ’ વીર’ નિર્માતા હાલ માર્કેટમાં નથી !
બાળક જન્મ પછી કેમ રડે છે? - ‘સંસારમાં પછી રડવાનું જ છે ’ એમ ધારીને એ આગોતરી પ્રેકટિસ કરે છે !
પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં.. તો સાસુનાં લક્ષણ ? - મેરેજ રિસેપ્સનમાંથી !
આવક વેરાની જેમ આળસ વેરો લેવાય તો? - ક્યો આળસુ એ વેરો ભરવા જશે ?
નેતાજી પ્રજાને વચન કેમ આપતાં હશે? - પોતે ભૂલી શકે અને પ્રજા યાદ રાખી શકે એ માટે
બદામ ખાવાથી યાદશક્તિ વધે? - ના, કરજ વધે !
ક્ધયા ઘોડા પર બેસીને પરણવા આવે તો એને ક્ધયા ઘોડો કહેવાય? - ના, એના ભાવિ વરનો ઘોડે નારાજ થઈ જાય.!
હાથના કર્યા હૈયે વાગે. તો પગના ક્યાં વાગે? - આપણી બેન્ક બેલેન્સમાં !