ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

નાક દબાવવાથી શું થાય?

Also read : રમૂજી સવાલના મનમોજી જવાબ

  • સામેવાળી વ્યક્તિ પૈસેટકે હળવી થાય .
    શેઠ-બોસની શિખામણ ઝાંપા સુધી તો પત્નીની?
  • પત્નીની શિખામણ લગ્ન ટકી રહે ત્યાં સુધી..!
    ઈ- કંકોત્રી મોકલનારને ઈ- ચાંલ્લો મોકલીએ તો ચાલે?
  • હા, એ પણ ઈ- જમણવાર યોજશે !
    સમૂહ લગ્નની જેમ સમૂહ છૂટાછેડા કેમ થતાં નથી?
  • ધાર્યા કરતાં વધુ દંપતી છૂટા પડવા ઊમટી ન પડે એ માટે!
    બાળ હઠ, સ્ત્રી હઠ – રાજ હઠથી વધારે અઘરી હઠ કઈ?
  • જામી પડેલા મહેમાનોની અતિથિ હઠ.
    દાંતનું ચોકઠું રંગીન હોય તો?
  • એ માટે ચહેરો પણ રંગવો પડે
    શેરમાર્કેટમાં ધોવાણ પછી રોકાણકારો રડે પછી શું ?
  • રડવા દો તેજી વખતે આપોઆપ હસવા માંડશે
    ટાલવાળા કેવી રીતે નસીબદાર ગણાય?
  • હેર-કટ અને હેર- ઓઈલનો ખર્ચ બચે એટલે!
    ‘વીર…વાળો’ ટાઈટલની ગુજરાતી ફિલ્મો કેમ હવે બનતી નથી?
  • કોઈ ’ વીર’ નિર્માતા હાલ માર્કેટમાં નથી !
    બાળક જન્મ પછી કેમ રડે છે?
  • ‘સંસારમાં પછી રડવાનું જ છે ’ એમ ધારીને એ આગોતરી પ્રેકટિસ કરે છે !
    પુત્રના લક્ષણ પારણામાં, વહુના લક્ષણ બારણામાં.. તો સાસુનાં લક્ષણ ?
  • મેરેજ રિસેપ્સનમાંથી !
    આવક વેરાની જેમ આળસ વેરો લેવાય તો?
  • ક્યો આળસુ એ વેરો ભરવા જશે ?
    નેતાજી પ્રજાને વચન કેમ આપતાં હશે?
  • પોતે ભૂલી શકે અને પ્રજા યાદ રાખી શકે એ માટે
    બદામ ખાવાથી યાદશક્તિ વધે?
  • ના, કરજ વધે !
    ક્ધયા ઘોડા પર બેસીને પરણવા આવે તો એને ક્ધયા ઘોડો કહેવાય?
  • ના, એના ભાવિ વરનો ઘોડે નારાજ થઈ જાય.!
    હાથના કર્યા હૈયે વાગે. તો પગના ક્યાં વાગે?
  • આપણી બેન્ક બેલેન્સમાં !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button