ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
માથાભારે હોય એના પગ ભારે ક્યારે થાય?
- કોઈ માથાફરેલ એનો જીવનસાથી બને ત્યારે…
ભગવાનના દર્શન માટે કેમ લાઈન લાગે?
- ભગવાનને પણ સંખ્યા જોવાનો શોખ થતો હોય છે…
વર- વધૂ રિવોલ્વિંગ ખુરશીમાં સાત ફેરા ફરે તો?
- એમનો ભાવિ ઘર-સંસાર પણ ચેરની જેન ચક્કર ફરવા માંડે એવી શક્યતા ખરી…
બસમાં લેડી એર હોસ્ટેસ હોય તો?
- મુસાફરો વધી જાય અને ખુદાબક્ષ સાવ ઘટી જાય…
સપનામાં રાણી આવે. તો સાચ્ચેસાચ કોણ આવે?
- ઘરની રાણી… ઘરવાળી.
ટૅરિફ વધારો અને પછી ઘટાડો. કેવું લાગે?
- ભાવ વધાર્યા પછી વેપારી ડિસ્કાઉન્ટ આપે એવું…
કયો જમ પૈસા કમાવી આપે?
- લવાજમ…જે છાપાંવાળાઓને આજે ઓછા મળે છે…
પારકા પૈસે પરમાનંદ. તો ખુદના પૈસે?
- વ્યાજનો વિશ્વાનંદ.
નારી પદમણી હોય તો નર કેવો હોય?
- નટખટ…નાટકિયો …
લાજ ના કાઢે એ નિર્લજ કહેવાય?
- ના, વહુ હોય તો મોડર્ન ગણાય…
સંકલ્પ ક્યારે પૂરા થાય?
- સંકલ્પ લીધા પછી…
NRI વતનમાં કેમ દાન આપતા હશે?
- પોતે વિદેશમાં કમાયા છે એવું લોકો જાણે એટલે….
હાલના રાજમાં સુખી કોણ?
- નેતા અને લોન લેનાર…


