રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

બત્રીસ લક્ષણાને કોણ હંફાવી શકે?
-એક અપલખણો…

વડીલની કઈ બુદ્ધિની ટીકા થાય?
-બાળ બુદ્ધિની…

હાથીના ખાવાના અને ચાવવાના દાંત જુદા કેમ હોય?
-એનું ચોકઠું બનતું નથી એટલે…

ગામ ગધેડે ચઢે. તો ઘોડા પર કેમ નહીં?
-ઘોડો તો વરઘોડામાં બિઝી હોયને!

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ:

વચન આપીને ફરી જનારા ક્યાં જતા હશે?
-લોકો ઝટ શોધી ના શકે ત્યાં…

માણસને અગર ઊડવાની શક્તિ મળે તો?
-પછી પક્ષીને પણ કનડવાનું શરૂ કરે…

ઝાઝા હાથ રળિયામણા. અને એકલવીર થાય તો?
-અળખામણાં…

પાણી ઉપરાંત શેનાથી નાહી શકાય?
-પૈસા ગુમાવીને!

ક્રિકેટની જેમ ગરબા પર સટ્ટો રમાય?
-ગરબાવાળીને ખબર પડે તો દાંડિયાવાળી થઈ શકે.”

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ

પ્રેમ કહાની ક્યારે પૂરી થાય?
-છોકરીના બાપા કે ભાઈની અચાનક એન્ટ્રી થાય ત્યારે!

રડતી વખતે આંખમાંથી ગંગા-જમુના વહે. સાબરમતી કેમ નહીં?
-સાબરમતી પ્રદૂષિત છે, વારંવાર સૂકાઈ જાય છે!

ગળે કોણ પડે?
-જે પગે પાડી ન શકે એ…

ડિવોર્સ વોર કેવું હોય?
-ઘરવાળાને જોવું ન ગમે, પણ બહારવાળા જોવે એવું.

કોઈના બાર વાગ્યાની કયારે ખબર પડે?
-જ્યારે કોઈની બોલતી બંધ થઈ જાય ત્યારે…

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ

પાગલ પ્રેમી ક્યારે સાજો થાય?
-માંદો પડ્યો હોય એ પ્રેમિકા ડોકટર બનીને આવે ત્યારે!

દેખાડો…કેવો ખાડો છે?
-કૂવા અને ભૂવાથી વધુ ઊંડો…

પેટનું પાણી ક્યારે હલે નહીં?
-પેટ ભરાયેલું હોય ત્યારે…

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button