રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર
મોટા માણસોને મારા ખિસ્સામાં રાખું છું’ કહેનારનું ખિસ્સુ કેટલું મોટું હશે?
- એનો અહમ્ સમાય અને સચવાય એટલું!
ઘડિયાળના કાંટા કેમ વાગતા નથી?
- કારણ કે એ વાગ્યા વગર ભલભલાના બાર વગાડી દે છે!
પત્ની પિયર જાય ત્યારે પતિ કેમ રાજી થતો હશે?
- કામચલાઉ એકલા રહેવાની આઝાદી મળી એટલા માટે…
માયા ત્યાગનો ઉપદેશ આપનાર સાધુ દાન કેમ લે છે?
- ભક્તોની માયા ત્યાગની કસોટી માટે…
પ્રલય આવે તો માણસ ક્યા ગ્રહ પર રહેવા જશે?
- વિનામૂલ્યે રહેવા -ખાવા પીવા-સૂવા મળે ત્યાં….
શૂન્યની શોધ ન થઈ હોત તો?
- એકડો એકલો પડી જાત…
કામની વ્યક્તિને કામવાળા કહીએ તો?
- તો કામવાળીનું શું થશે?
દિલ તૂટે તો અવાજ કેમ આવતો નથી?
- આજુબાજુ સ્ટિરિયોફોનિક સાઉન્ડ સિસ્ટમ નથી હોતી એ માટે…
લગ્ન પહેલાં પુરુષ અધૂરો હોય અને લગ્ન પછી?
- અધમૂઓ…
અર્ધ નારેશ્વરની જેમ અર્ધ નરવાનર જોવા મળે તો?
- હૂપાહૂપ થવા માંડે…
બહુપત્નીની જેમ બહુપ્રેયસી હોય તો?
- આવો યોગ બહુપ્રેમીને મળે તો ફળે…
દેવ અને દાનવ હવે ક્યાં જોવા મળે?
- દેવ સ્વર્ગમાં…દાનવ આપણી આસપાસ…
પત્નીને ચાંદ કેમ કહેવામાં આવે છે?
- કારણ કે એ પતિને ધોળા દિવસે તારા દેખાડી શકે છે માટે!
બંદૂક કેમ રાખવી જોઈએ?
- પોતાને બીક ના લાગે એ માટે….
સ્ત્રીને અર્ધાંગિની તો પુરુષને શું કહેવાય?
- અર્ધ પુરુષોત્તમ!
દાઢી ને વાળ જે વધારે એ બુદ્ધિશાળી?
- હા, દાઢી – વાળ કટિગનો ખર્ચ એ બચાવે છે!
અંધારામાં સૂરજ ઉગે ખરો?
હા, જો દેવલોકમાં ઈન્દ્ર સામે બળવો થાય તો !
દારૂ પીવે એ સાચું જ બોલે એ વાત કેટલી સાચી?
પીતા ભી દીવાના…સુનતા ભી દીવાના!
આપણ વાંચો : રમૂજી સવાલના મનમોજી જવાબ