રમૂજી સવાલના મનમોજી જવાબ...
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

ઉપાધિના પોટલાં હોય તો બેગ શેની?

  • મહા મુસીબતની…

સાસરિયા એટલે?

  • વર માટે સોનાની ખાણ અને કન્યા માટે દુ:ખનો દરિયો.

સોનાના ભાવ વધી રહ્યા છે. શું કં?

  • જૂની લગડી વેચીને લખપતિ બનો…

ગુજરાતમાંથી લોટરી ટિકિટ કેમ ગાયબ થઈ?

  • કોઈને ઈનામ લાગતું નહોતું…!

વગ ક્યાં લગાડાય?

  • લાગ મળે ત્યાં…

માણસનો જીવ ક્યારે બળે?

  • જીવ મળે નહીં ત્યાં સુધી બળે!

ઊઠવા બેસવા પછી શું?. ભાજી અને પાંઉ વચ્ચે કેવો સંબંધ?

  • ઓહિયા ન થઈ જાય ત્યાં સુધીનો!

નાસભાગમાં પહેલાં શું કરવું?

  • પહેલાં તન કહે એ…!

એક છોકરી અમને છ મિત્રને ગમે છે, પણ કોઈનો મેળ પડતો નથી.

  • તમે મૂંઝાયા કરો ને પેલી મજા લેતી હશે…

દુ:ખમાં દોસ્તો યાદ આવે અને સુખમાં?

  • સાસરિયા….

બિલાડી આડી ઊતરે તો અપશુકન…ને ઊભી ઊતરે તો?

  • એને અપશુકન!

કુંવારાપણું ક્યારે આશીર્વાદ લાગે?

  • લગ્નપણું ભારરૂપ લાગવા માંડે ત્યારે…!

આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button