ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
ઔરંગઝેબ જીવતો હોત તો?
- બદનક્ષીનો દાવો ફટકાર્યો હોત !
કેસર, સુંદરી, તોતા, બદામ, … કેરી જેવો આવો વૈભવ બીજા ફળને કેમ મળ્યો નથી? - બીજા ફળને વસ્તાર વધારવાની ઈચ્છા નહીં હોય.
માતા- પિતા સાચું તીરથ ગણાય તો સાસુ- સસરા? - હિલ સ્ટેશન !
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બચવા શું કરવાનું? - લાંબા અને ટૂંકાની વચ્ચે ખડા રહેવું ! .
ડેટિંગ અને ડાયેટિંગમાં ફરક શું? - એકમાં પ્રગટ થવાનું ને બીજામાં પચાવવાનું.
રાત થોડી, ને વેશ ઝાઝા હોય તો? - રાતપાળીને બદલે દિવસની ડ્યુટી લેવી કપડાની ઝંઝટ નહીં !
ગાંધી માર્ગે ન ચાલવું હોય તો ? - ગાંધી રોડની ફૂટપાથ પર ચાલવું.
વચન અને પ્રવચનનો ફાયદો શું? - બન્નેમાં આપવાનો આનંદ મળે…
નંબર વન થવાની હોડ ક્યારે અટકશે? - જ્યારે લાસ્ટ નંબરને તગડું ઈનામ આપવાની શરૂ થશે ત્યારે
બ્યુટી પાર્લર ના હોત તો? - રસોડાની દીવાલ પર દર્પણ ને મસાલાની સાથે મેકઅપનો સામાન પડ્યો હોત.
ભેંસના શિંગડા ભેંસને ભારે પડે.. તો ભેંસે શું કરવાનું? - ડાયેટિંગ !
માછલીઘર કાચનું કેમ હોય છે?. - બહારની દુનિયાવાળા આપણે કેવા છીએ એ જોઈ શકે એ માટે.
પેપર કેમ ફૂટે છે? - કારણ કે એ કોઈ જાતના અવાજ કર્યા વગર ફૂટે છે.
ગાંધીજીનો ચોથો વાંદરો હોય તો? - છેને.આજનું સોશિયલ મીડિયારૂપે !.
લગ્ન માટે સાચી વય કઈ? - છોકરાં- છોકરીના મા-બાપ હા પાડે એ !
ફાવટમાં વટ રહે ખરો? - જો કોઈ ચોવટ ના કરે તો.
કલમ જો તલવારસમાન હોય તો તલવાર કલમસમાન કેમ નહીં? - તલવારથી લખી ના શકાય.
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ