રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

  • દર્શન ભાવસાર

શ્રાદ્ધ માટે કબૂતરને ખવડાવીએ તો?

*શકુનિગીરી ન ક્રો…ક્યાં શાંતિદૂત એવા કબૂતરને કર્કશ કાગડા સાથે બધાવી મારો છો?!

સાચો દોસ્ત એટલે?

*ઉછીના પૈસા ઝટ પાછા ન માંગે ને ન યાદ અપાવે એ!

પ્રેમિકાને ભગાડી જવા માટે શું ધ્યાન રાખવાનું?

*પ્રેમિકા સાથે આવે, પણ એના પિતા કે ભાઈ પાછળ ના આવે એનું!

શું મારવા છતાંય ઈજા થતી નથી?

*શેખી-ટોણાં ને ગુલબાંગ…

પડ્યો બોલ ઝીલાય તો બેટનું શું?

*કૃપયા ઈન્તજાર કરેં…

દુનિયા દો રંગીમાં કયો રંગ હશે?

*સપ્તરંગ ને નવરંગ.

મેરા સસરા બડા પૈસેવાલા. હું આવું ગાઈ નથી શકતો…તો?

*-તો સાસુ તીરથ, સસુરા તીરથના જાપ જપો.

પ્રદક્ષિણામાં કોઈ દક્ષિણા માગે તો?

*માગે તો બે પ્રદક્ષિણા વધુ ફરવી!

મારા મનનું ધાર્યુ થતું નથી તો શું કરું?

*પત્નીની મન કી બાત જાણી લો…

કૃપા ગુણ એટલે?

*નાપાસ થનારને પાસ કરવાનો અવગુણ.

પત્નીની મિસ કોલ મારવાની આદતથી બચવા શું કરું?

*ફોનને સાયલન્ટ મોડ પર રાખો…

ક્લિન ચીટમાંય કેમ વિવાદ થતો હશે?

*ક્લિન ચીટિંગ હોય એટલે…

ધુતારા કેમ ભૂખે નહીં મરતા હોય?

*પીને મરતા હશે એટલે…

સરખામણી, અળખામણી, સતામણીથી બચવા શું કરું?

*મણિનો નંગ પહેરો અને મંગળવારે એકાસણું કરો.

પહેલાં GSTના ફાયદા ગણાવ્યા …અને હવે GST રદ કરવાના ફાયદા. આ તે કેવું?.

*લગ્ન કરવાના ફાયદા…અને ગેરફાયદા જેવું!

આપણ વાંચો:  મગજ મંથનઃ ડિજિટલ લત: માનવીય સંબંધોનો અંત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button