ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

  • ગૃહિણીઓની ચર્ચામાં કયો કોમન પ્રશ્ન ચર્ચાય?
    કામવાળા કેટલા પૈસા લે છે… મહિનામાં કેટલી રજા પાડે?
  • ગુલાબ અને જુલાબ વચ્ચે ફરક શું?
    ગુલાબ મન તરબતર કરે… જુલાબ પેટ હળવું કરે…
  • નીડર નારીને શેની બીક લાગે?
    ઝાંસીની રાણી પણ ઉંદર-વંદા-ગરોળીથી ફફડતી હતી!
  • નેતા ક્યારે ચૂપ રહે?
    સાંભળનાર કોઈ ન હોય ત્યારે…
  • હાથના કર્યા હૈયે જ કેમ વાગે?
    કારણકે એનો અવાજ આવતો નથી…
  • દિલના ડોક્ટરનું દિલ કેવું હોય?
    લવનો એટેક જલદી ન આવે એવું!
  • ધરમનો ધક્કો કેવો હોય?
    ભગવાન પણ ભૂલાય જાય એવો…
  • બદલાની આગ હોય. પવન કેમ નહીં?
    આગ જલ્દી પ્રસરી શકે.
  • ભરોસો તોડનાર સાથે કેવો વ્યવહાર રાખવો?.
    ભરોસા મંદ… !
  • ચૂનો ધોળવો ને ચૂનો ચોપડવો. ફરક શું?
    એક દીવાલ ચમકાવે…બીજાથી પૈસા દલ્લો ઘટે…
  • ખુરશીના બદલે જમીન પર બેસીએ તો?
    -તો કોઈ તમારી ખુરશી ન ઉથલાવી શકે!.
  • કાકા કેમ વાંકા ચાલે?
    જુવાનીમાં બહુ સીધા ચાલ્યા હોય એટલે…
  • મન માંકડા (વાંદરા) જેવું હોય તો તન?
    ટનાટન ઘોડા જેવું….
  • સગા શુભ પ્રસંગમાં કેમ રિસાઈ જતા હોય?
    જેથી બધાની નજરે ચડે અને પછી પડે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button