ઇન્ટરનેશનલ

‘નમાઝ પછી હુમલો કરવાના હતા, ત્યાં જ બ્રહ્મોસ ત્રાટકી!’ પાકિસ્તાનના વડાપ્રધાને સ્વીકાર્યું

બાકુ: ઓપરેશન સિંદૂર હેઠળ એર સ્ટ્રાઈક કરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાના જવાબમાં સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના લશ્કરી એરબેઝન પર હુમલ કરીને ભારે નુકશાન પહોંચાડ્યું (India Airstrike on Pakistan Air base) હતું. શરૂઆતમાં પાકિસ્તાન આ વાતનો ઇનકાર કરતું રહ્યું. હવે ખુદ પાકિસ્તાના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif)પણ આ વાત સ્વીકારી છે.

અહેવાલ મુજબ, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ સ્વીકાર્યું કે 9 અને 10 મેની રાત્રે ભારતે કરેલા હુમલામાં પાકિસ્તાનના એર બેઝને નુકશાન પહોંચ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત મુખ્ય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવા માટે બ્રહ્મોસ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો.

અઝરબૈજાનના લાચીનમાં આયોજિત એક શિખર સંમેલનમાં બોલતા, શરીફે કહ્યું કે પાકિસ્તાની સશસ્ત્ર દળો 10 મેના રોજ વહેલી સવારે ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં ભારતે પાકિસ્તાનના કેટલાક સ્થળો પર હુમલા કર્યા હતાં.

‘અમે નમાઝ પછી હુમલો કરવાના હતાં…’
શરીફે કહ્યું, “9-10 મેની રાત્રે, અમે ભારતીય આક્રમણનો કડક જવાબ આપવાનું નક્કી કર્યું હતું અને અમે નક્કી કર્યું હતું કે સવારે 4:30 વાગ્યે ફજરની નમાજ પછી, પાકિસ્તાની સશસ્ત્ર દળો અમારા ફિલ્ડ માર્શલ ચીફ આર્મી સ્ટાફ, સૈયદ અસીમ મુનીરની આગેવાની હેઠળ દુશ્મનને પાઠ ભણાવશે. પરંતુ તે પહેલાં ભારતે ફરીથી મિસાઇલ હુમલા શરૂ કર્યા અને બ્રહ્મોસ મિસાઈલો રાવલપિંડીના એરપોર્ટ અને પાકિસ્તાનના વિવિધ પ્રાંતો પર ત્રાટકી હતી.”

આપણ વાંચો:  કરાચી એરપોર્ટ પર પાણીના ફાંફા! પાકિસ્તાની અભિનેત્રીએ ખોલી શાહબાઝ સરકારની પોલ

શાહબાઝ શરીફ અગાઉ પણ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને નુકસાન થયું હોવાનું સ્વીકાર્યું હતું. ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સ્મારક ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું હતું કે ભારતીય મિસાઇલોએ રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ અને અન્ય મુખ્ય સ્થળોએ ત્રાટકી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button