ઇન્ટરનેશનલ

કેનેડામાં ઘરની બહાર ગોળીબાર કરવા બદલ ત્રણ ભારતીયની ધરપકડ

ઓટાવા: કેનેડાની પોલીસે ત્રણ ભારતીય નાગરિકની ખંડણી વિરોધી પેટ્રોલિંગ દરમિયાન એક ઘર બહાર ગોળીબાર થયા બાદ ધરપકડ કરી હતી.

આ સમગ્ર પ્રકરણ મુદ્દે સરે પોલીસ સર્વિસ (એસપીએસ) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હરજોત સિંહ (૨૧), તરણવીર સિંહ (૧૯) અને દયાજીત સિંહ બિલિંગ (૨૧) પર હથિયાર ચલાવવાનો એક-એક આરોપ છે, અને બધાને ગુરુવાર સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, એમ સરે પોલીસ સર્વિસ (એસપીએસ) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ પણ વાચો : રાજ્યમાં 11,000થી વધુ રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની છેતરપિંડી આર્થિક ગુના શાખાએ ગુજરાતથી દંપતી સહિત ત્રણની ધરપકડ કરી

લેકલેન્ડ ટુડેના અહેવાલ મુજબ, સરેના ક્રેસન્ટ બીચ પડોશમાં એક ઘરની બહાર ગોળીબાર અને નાની આગના અહેવાલ બાદ પેટ્રોલ અધિકારીઓ દ્વારા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.

એસપીએસના મુખ્ય ગુના વિભાગે તપાસ સંભાળી હતી, અને ત્રણ પુરુષ પર હવે ક્રિમિનલ કોડના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે, એમ અહેવાલમાં જણાવાયું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button