બાંગ્લાદેશમાં આતંક અટકતો નથી, બદમાશોએ હિન્દુ પૂજારીની હત્યા કરી, મંદિરમાં લૂંટ ચલાવી, જાણો સમગ્ર મામલો

ઢાકા: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હિન્દુ લઘુમતીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. હાલમાં જ સમાચાર જાણવા મળ્યા છે કે અહીં એક હિન્દુ પૂજારીની હત્યા કરવામાં આવી છે અને મંદિરમાં પણ લૂંટ ચલાવવામાં આવી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધનો આતંક ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હાલમાં જ અહીં ફરી એક હિન્દુ પૂજારીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, તે બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં પૂજા કરતો હતો. પૂજારીની હત્યા કર્યા બાદ બદમાશોએ મંદિરમાં લૂંટ પણ ચલાવી હતી.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામેના બળવા પછી હિંદુઓ પર અત્યાચાર અને હિંદુ મંદિરોની તોડફોડની અનેક ઘટનાઓ સતત જોવા મળી રહી છે, પરંતુ યુનુસ સરકાર માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે.
આ ઘટના બાદ ઈસ્કોનના કોલકાતા યુનિટે ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની કરવામાં આવેલી ‘હત્યા’ની નિંદા કરી છે અને આ માટે બાંગ્લાદેશ સરકારને જવાબદાર ઠેરવી છે.
આ પણ વાંચો…Bangladesh માં હિંદુઓ પરના હુમલાને યુનુસ સરકારે રાજકીય હિંસા ગણાવી, કહી આ વાત
ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશના નાટોરમાં કાશીમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહ સ્થિત મંદિર પર થયેલા હુમલા વિશે સાંભળીને આઘાત લાગ્યો. મંદિરમાંથી કીમતી વસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી અને મંદિરના સેવક તરુણ ચંદ્ર દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના હાથ-પગ બાંધેલા જોવા મળ્યા હતા. બાંગ્લાદેશમાં હિંદુ સ્મશાનગૃહ પણ હવે સુરક્ષિત નથી.