શ્રી લંકામાં ચૂંટણી પૂર્વે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધનcandidate | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

શ્રી લંકામાં ચૂંટણી પૂર્વે એક ઉમેદવારનું હાર્ટ એટેકથી નિધનcandidate

કોલંબોઃ શ્રીલંકામાં ૨૧ સપ્ટેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ૩૯ ઉમેદવારોમાંથી એકનું નિધન થયું છે. ઉત્તર-પશ્ચિમ પુટ્ટુલમ જિલ્લાના અપક્ષ ઉમેદવાર ૭૯ વર્ષીય ઇદ્રિસ મોહમ્મદ ઇલિયાસનું ગુરૂવાર રાત્રે હ્યદયરોગનો હુમલા આવતા તેમને હોસ્પિટલમાં લઇ જતી વખતે મૃત્યુ થયું હતું. આ જાણકારી તેમના પરિવારે આપી હતી.

તેઓ ૧૯૯૦ના દાયકામાં જાફનાના ઉત્તરી જિલ્લામાંથી ટાપુના નવ ટકા મુસ્લિમ લઘુમતીનું પ્રતિનિધિત્વ કરતા સંસદના સભ્ય હતા. તેમના નામની સાથે તેમનું ચૂંટણી ચિન્હ ‘ઇન્જેક્શન સિરીંજ’ને રેકોર્ડ ૩૯ ઉમેદવારો દ્વારા બનાવવામાં આવેલા મતપત્રમાં સૌથી ઉપરથી ચોથા ક્રમે રાખવામાં આવ્યું હતું, જે નવેમ્બર ૨૦૧૯માં યોજાયેલી અગાઉની ચૂંટણી કરતાં ચાર વધુ છે.

આ પણ વાંચો: હવે આ પડોશી દેશમાં થશે રાષ્ટ્રપતિની ચૂંટણી, તારીખ જાહેર

ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું કે તેમનું મૃત્યુ થયું હોવા છતાં તેમનું નામ બેલેટ પેપરમાંથી હટાવવામાં આવશે નહીં. નોંધનીય છે કે ૧૯૯૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તત્કાલિન મુખ્ય વિપક્ષી પડકાર ફેંકનાર આત્મઘાતી બોંબ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા.

તેમના પત્નીએ મતપત્રમાં તેમની જગ્યા લીધી હતી. ચૂંટણી દોડમાં વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મુખ્ય વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસા અને માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના(જેવીપી)ના નેતા અનુરા કુમારા દિસાનાયકે સૌથી આગળ છે.

Back to top button