શુભાંશુ શુક્લાનું અવકાશ મિશન એક્સિઓમ-4 ફરી મુલતવી, જાણો શું રહ્યું કારણ…

લોસ એન્જલસ: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જે સ્પેસશીપમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જવાના એ એક્સિઓમ-4 નું લોન્ચિંગ ફરી એકવાર મુલતવી રાખવામાં (Axiom-4 launch postponed) આવ્યું છે. ટેકનીકલ કારણોસર આ લોન્ચિંગ મુલતવી રાખવામાં આવ્યું છે.
SpaceXએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિશનની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, કારણ કે ટીમ મેનેજમેન્ટ પર કામ કરી રહી છે. આ ચોથી વખત એક્સિઓમ-4 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે.
આ કારણે મિશન મુલતવી:
‘સ્ટેટિક ફાયર’ પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ થતું હોવાનું જાણમાં આવ્યા બાદ મિશન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. SpaceX એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “પોસ્ટ સ્ટેટિક ફાયર બૂસ્ટર નિરીક્ષણ દરમિયાન LOx લીકને સુધારવા માટે SpaceX ટીમોને વધારાનો સમય મળે એ માટે Ax-4 ના ફાલ્કન 9 લોન્ચને મુલતવી રાખવામાં આવે છે. એકવાર કાર્ય પૂર્ણ થઈ ગયા પછી રેન્જ અવેલેબીલિટીને આધારે અમે નવી લોન્ચ તારીખ શેર કરીશું.”
એક્સિઓમ-4 મિશન અન્ય અવકાશયાત્રીઓ સાથે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને ISS પર લઇ જશે. Axiom-4 જ્ઞાનમાં ભારત, પોલેન્ડ અને હંગરી કે સ્પેસ અથવા આત્રી સામેલ છે.
ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) એ Axiom-4 મિશન માટે NASA અને SpaceX સાથે જોડાણ કર્યું છે. જે હેઠળ ISS પર બહુવિધ કસ્ટમાઇઝ્ડ પ્રયોગો હાથ ધરવામાં આવશે.
વર્ષ 2023 માં તેમની અમેરિકા મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ Ax-4 મિશન માટે શુભાંશુ શુક્લાની પસંદગી કરી હતી , તેમણે SpaceX અને Axiom Space તરફથી ખાસ તાલીમ મેળવી છે.