રશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો; 400થી વધુ ડ્રોન છોડી હુમલો કર્યો

મોસ્કો/કિવ: છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભીષણ બન્યું છે, ગત રવિવારે યુક્રેને એક સાથે 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે રશિયાએ યુક્રેનના લગભગ તમામ મુખ્ય વિસ્તારો પર 400 થી વધુ ડ્રોન અને 40 થી વધુ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
અહેવાલ મુજબ રશિયાએ યુક્રેનના વોલીન, લ્વિવ, ટેર્નોપિલ, કિવ, સુમી, પોલ્ટાવા, ખ્મેલનિત્સ્કી, ચેર્કાસી અને ચેર્નિહિવમાં હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ X પર એક નિવેદન જાહેર કર્યું છે. તમણે કહ્યું કે યુક્રેનિયન વાયુસેના અનેક મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં સફળ રહી છે, પરંતુ ત્રણ ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓના મોત થતા છે અને 49 લોકો ઘાયલ થયા છે. કાટમાળ સાફ કરવા અને બચાવ કામગીરી ચાલુ છે.
Russia doesn`t change its stripes – another massive strike on cities and ordinary life. They targeted almost all of Ukraine – Volyn, Lviv, Ternopil, Kyiv, Sumy, Poltava, Khmelnytskyi, Cherkasy, and Chernihiv regions. Some of the missiles and drones were shot down. I thank our… pic.twitter.com/O1iemSp3s2
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 6, 2025
આપણ વાંચો: “મારા દીકરાને સવાલ પૂછવાની મંજુરી ન આપો” જ્યારે શશિ થરૂરે પ્રેસ કોન્ફરન્સમાં હળવી મજાક કરી
રશિયા પર દબાણ વધારવા વિશ્વને અપીલ:
વોલોડીમીર ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે રશિયા તેની નીતિ બદલી રહ્યું નથી. તે સામાન્ય નાગરીકોને નિશાન બનાવી રહ્યું છે. આ યુદ્ધ હવે ફક્ત યુક્રેનનું યુદ્ધ નથી, તે માનવતાનું યુદ્ધ છે. રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠરાવવું જોઈએ. અમેરિકા, યુરોપ અને સમગ્ર વિશ્વએ હવે રશિયા પર નિર્ણાયક દબાણ લાવવું પડશે. જો વૈશ્વિક નેતાઓ ચૂપ રહે છે, તો આ પણ એક પ્રકારની મિલીભગત છે. હવે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે, યુદ્ધ ફક્ત સમર્થન જાહેર કરવા નહીં અટકે.