પ્રાદાએ ચપ્પલની ચર્ચા પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું કોલ્હાપુરી ચપ્પલની ડિઝાઈન કોપીના આક્ષેપ પર?

ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાદા પર ભારતીય કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનનો ઉપયોગ કરવા બદલ ટીકા થઈ હતી. આ ટીકા બાદ પ્રાદાએ સ્વીકાર્યું કે તેની સમર 2026 પુરુષોની ફેશન લાઇનમાં ચંપલની ડિઝાઇન કોલ્હાપુરી ચંપલથી પ્રેરિત છે.
પ્રાદાએ જણાવ્યું કે મિલાન ફેશન વીકમાં પ્રદર્શિત તેમની ઓપન-ટો ચામડાની ચંપલ કોલ્હાપુરી ચંપલથી પ્રેરિત છે, જે મહારાષ્ટ્ર અને કર્ણાટકના કારીગરો દ્વારા સદીઓથી બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ભારતીયો દ્વારા ટીકા થઈ કે પ્રાદાએ આ પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ તેના મૂળ અને કારીગરોને શ્રેય આપ્યા વિના કર્યો છે.
પ્રાદાનું નિવેદન
પ્રાદા ગ્રુપના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વડા લોરેન્ઝો બર્ટેલીએ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચરના પ્રમુખ લલિત ગાંધીને લખેલા પત્રમાં જણાવ્યું, “અમે સ્વીકારીએ છીએ કે અમારા 2026 પુરુષોના ફેશન શોમાં દર્શાવેલી ચંપલ ભારતીય હસ્તકલાની પરંપરાથી પ્રેરિત છે. અમે આવી હસ્તકલાના સાંસ્કૃતિક મહત્વને પૂર્ણ માન આપીએ છીએ.”
ભારતીય અધિકારીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે પ્રાદા પર સાંસ્કૃતિક ઉચ્છેદનો આરોપ લગાવ્યો હતો. કોલ્હાપુરી ચંપલ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને આસપાસના વિસ્તારોની પરંપરાગત હસ્તકલા છે, જે સદીઓથી સ્થાનિક કારીગરો દ્વારા બનાવાય છે. પ્રાદાના આ નિવેદનથી આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે કે વૈશ્વિક બ્રાન્ડ્સે સ્થાનિક સંસ્કૃતિનો ઉપયોગ કરતી વખતે તેના મૂળને શ્રેય આપવો જોઈએ.