દોસ્તીનો નવો અધ્યાય શરૂ, પાકિસ્તાનથી રેર અર્થ મિનરલ્સનું પહેલું શિપમેન્ટ અમેરિકા મોકલાયું | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

દોસ્તીનો નવો અધ્યાય શરૂ, પાકિસ્તાનથી રેર અર્થ મિનરલ્સનું પહેલું શિપમેન્ટ અમેરિકા મોકલાયું

પાકિસ્તાનના પર્વતો અને ધરતીમાં છુપાયેલા અમૂલ્ય ખનીજો હવે વૈશ્વિક વેપારના મંચ પર આવી રહ્યા છે. એક અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન અને અમેરિકા એક નવા આર્થિક અને વ્યૂહાત્મક સંબંધની શરૂઆત કરી રહ્યા છે, જેમાં રેર અર્થ મિનેરલ્સના નિકાસનો એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. આ કરાર પાકિસ્તાનને વૈશ્વિક ખનીજ બજારમાં મજબૂત સ્થાન આપી શકે છે, જે ઔદ્યોગિક વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે નિર્ણાયક છે.

અમેરિકન કંપની યુએસ સ્ટ્રેટેજિક મેટલ્સ (યુએસએસએમ) જેણે સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાન સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા હતા, જેના માટે પાકિસ્તાને અમેરિકા ખાતે પ્રથમ ખનીજ નમૂના મોકલ્યા હતા. આ કંપની પાકિસ્તાનમાં ખનીજ પ્રોસેસિંગ અને વિકાસ સુવિધાઓ સ્થાપવા માટે 50 કરોડ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

વોશિંગ્ટનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય પાકિસ્તાનને વૈશ્વિક ક્રિટિકલ મિનેરલ્સ સપ્લાય ચેઈનમાં સામેલ કરવાનું મહત્વનું પગલું છે. આ શિપમેન્ટમાં એન્ટિમની, કોપર કોન્સન્ટ્રેટ અને નિયોડિમિયમ તેમજ પ્રાસિયોડિમિયમ જેવા રેર અર્થ તત્વોનો સમાવેશ થાય છે, જે ફ્રંટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશન (એફડબ્લ્યુઓ)ના સહયોગથી તૈયાર કરાયા હતા. યુએસએસએમના સીઈઓ સ્ટેસી ડબ્લ્યુ હેસ્ટીએ આને બે દેશો વચ્ચેની મિત્રતા અને વેપારને વધારવાની શરૂઆત ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કરાર પાકિસ્તાન માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે તેના ખનીજ ભંડારનું મૂલ્ય આશરે 6 ટ્રિલિયન ડોલરનું આંકવામાં આવી રહ્યું છે, જે વિશ્વના સૌથી સમૃદ્ધ સંસાધનોમાંથી એક છે. જેનાથી પાકિસ્તાનને અબજો ડોલરની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રોજગારની તકો અને ટેકનોલોજી ટ્રાન્સફરનો લાભ લઈ શકે છે. અમેરિકા માટે આ સહયોગ આવશ્યક કાચા માલની પહોંચ વધારશે અને વૈશ્વિક બજારમાં પ્રભુત્વ ધરાવતા અન્ય પુરવઠાદારો પરની નિર્ભરતા ઘટાડશે.

આ કરારને લઈને પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ ગંભીર ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સીની માહિતી પ્રમાણે માહિતી સચિવ શેખ વક્કાસ અકરમે સરકારને આ કરારની સંપૂર્ણ વિગતો જાહેર કરવા જણાવ્યું, તેને આ કરાકને “ગુપ્ત ડીલ” ગણાવી હતી. તેણે એક અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેમા અમેરિકાની ઓફરની કરવાની વાત હતી, અને આવા “અવિચારી અને અસમાન” કરારો દેશની અસ્થિર પરિસ્થિતિને વધુ ખરાબ કરશે એવો દાવો કર્યો હતો.

તેણે સંસદ અને જનતાને વિશ્વાસમાં લેવાની માંગ કરી, એમ કહીને કે પીટીઆઈને રાષ્ટ્રીય હિતોની કિંમતે કરારો સ્વીકાર ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે 1615માં મુઘલ સમ્રાટ જહાંગીરના બ્રિટિશને સુરત બંદર પર વેપારી અધિકાર આપવાના નિર્ણયની ઐતિહાસિક ભૂલનું ઉદાહરણ આપ્યું, જે વસાહતી શાસન તરફ દોરી ગયું હતું.

અહેવાલ મુજબ, સૈન્ય સૂત્રોએ ફાઈનાન્શિયલ ટાઈમ્સના પાસની બંદર અંગેના દાવાને નકારી કાઢ્યું છે, એમ કહીને કે તે “વ્યાપારી વિચાર” હતો, નહીં કે સત્તાવાર નીતિ. આ ઉપરાંત, શેખ વક્કાસ અકરમે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) વચ્ચેના જાહેર વિવાદોને “યોજનાબદ્ધ રણનીતિ” ગણાવી, જેનો હેતુ રાષ્ટ્રીય મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવાનો છે. આ માહિતી વાચકોને આ કરારના રાજકીય અને સામાજિક પરિણામો વિશે ઊંડી સમજ આપે છે, જે તેને વધુ રસપ્રદ બનાવે છે.

આ પણ વાંચો…JF-17 એન્જિન વિવાદ: રશિયા-પાકિસ્તાન ડીલ મુદ્દે ભારતમાં રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસ સામસામે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button