ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના દબાણ હેઠળ બાંગ્લાદેશમાં પણ અહમદિયા સમુદાય બિન મુસ્લિમ જાહેર થશે

ઢાકા: ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ જાણે કે હવે પાડોશી દેશ પાકિસ્તાનના રસ્તે જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે બાંગ્લાદેશની અંદર કટ્ટરપંથી હવાની લહેર માટે સભાઓ કરવામાં આવી રહી છે. ઢાકામાં એક વિશાળ ધાર્મિક સભાનો ઉપયોગ કરીને બાંગ્લાદેશ પર પાકિસ્તાન જેવો નિંદા કાયદો (Blasphemy Law) અપનાવવા અને અહમદિયા સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરવા માટે ખુલ્લું દબાણ કરવામાં આવ્યું હતું. આવો દાવો બાંગ્લાદેશી મીડિયાના અહેવાલમાં કરવામાં આવ્યો છે.

યુનાઇટેડ ખત્મ-એ-નુબુવત કાઉન્સિલ દ્વારા આયોજિત અને બાંગ્લાદેશની ખત્મ-એ-નુબુવત પ્રોટેક્શન કમિટી દ્વારા દેખરેખ હેઠળ આ ‘ખત્મ-એ-નુબુવત ગ્રાન્ડ કોન્ફરન્સ’માં પાંચ દેશોના કટ્ટરવાદી ઇસ્લામિક વિદ્વાનો એકઠા થયા હતા, જેમાં પાકિસ્તાનનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું. 35થી વધુ પાકિસ્તાની મૌલવીઓ હાજર હતા, અને તેમાંથી 19 એ કાર્યક્રમમાં ભાષણ આપ્યા હતા.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ પાકિસ્તાનના અધ્યક્ષ મૌલાના ફઝલુર રહેમાન અને અહલે સુન્નત વલ જમાતનાં વરિષ્ઠ નેતા મૌલાના ઔરંગઝેબ ફારૂકીએ બાંગ્લાદેશને પાકિસ્તાનના માળખા પર આધારિત નિંદા કાયદો અપનાવવા આગ્રહપૂર્વક હાકલ કરી હતી.

આ બંને નેતાઓએ તેમના સંદેશને “મુસ્લિમ એકતા”ની આસપાસ રજૂ કર્યો હતો, જાહેર કરતા કહ્યું કે: “કાબુલ સે બાંગ્લાદેશ તક એક કલિમા – હમ જીતેંગે”. વધુમાં, તેમણે બાંગ્લાદેશી મૌલવીઓ પર અહમદિયા/કાદિયાની સમુદાયને બિન-મુસ્લિમ જાહેર કરવા માટે દબાણ કરવા ભાર મૂક્યો હતો. કોન્ફરન્સની સૌથી વિવાદાસ્પદ ક્ષણોમાંની એકમાં, મૌલાના ફઝલુર રહેમાને ભીડને કહ્યું: “અમારા પયગંબરના સન્માન માટે અમે પાકિસ્તાનમાં લોહી વહાવ્યું છે, જરૂર પડશે તો ફરીથી વહાવીશું. તેઓ કાફર છે અને તમારે અમારાની જેમ પયગંબરોના સન્માનને જાળવી રાખવું જોઈએ.

આપણ વાંચો:  અમેરિકાએ ચોરીછૂપીથી કર્યું પરમાણુ બોમ્બનું પરીક્ષણ: જુઓ વીડિયો…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button