ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

Nijjar Murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી

ઓટાવા: ગત વર્ષે કેનેડાના સરે(Surrey) શહેરમાં ખાલિસ્તાન અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ની હત્યા કેસમાં કેનેડાની પોલીસે વધુ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસ હેઠળ આ ચોથી ધરપકડ છે. કેનેડા સતત આરોપ લગાવી રહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હતો, પરંતુ ભારત સરકારે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેના કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો છે.

નિજ્જર હત્યા કેસમાં કેનેડા પોલીસે અમનદીપ સિંહ નામના મૂળ ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અમનદીપ સિંહ પહેલાથી જ ગેરકાયદેસર હથિયાર કેસમાં કસ્ટડીમાં હતો, હવે તેના પર હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અહેવાલ મુજબ અમનદીપ સિંહ કેનેડાના ઓન્ટારિયોના બ્રેમ્પટનમાં રહેતો હતો. આ પહેલા કેનેડિયન પોલીસે નિજ્જર હત્યા કેસમાં કરણ બ્રાર, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ નામના ત્રણ ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી.

નોંધનીય વાત એ છે કે જે લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે તમામ ભારતીયો છે, જેનો અર્થ છે કે કેનેડા હજુ એ દાવા પર મક્કમ છે કે નિજ્જરની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્સીનો હાથ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પહેલેથી જ કહી ચૂક્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓ સીધી રીતે સામેલ છે, એક ષડયંત્રના ભાગરૂપે તેની હત્યા કરવામાં આવી હતી.

બીજી તરફ એવા અહેવાલો છે કે નિજ્જર પોતે જ ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. આ માટે તેણે પાકિસ્તાનમાં હથિયારોની ટ્રેનિંગ કેમ્પ શરુ કર્યો હતો. ભારતે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો, એ પહેલા વર્ષ 2014 માં ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) ના વડા નિજ્જર વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ (RCN) જાહેર કરી હતી. કેનેડાએ આ દાવા સ્વીકાર્યા નથી, કેનેડા સરકાર સતત ભારત પર સવાલો ઉઠાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો