ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

નાઇજીરીયામાં આવેલા ભયાનક પૂરે 111 લોકોનો જીવ લીધો! આંકડો હજી વધશેઃ સૂત્રો…

મોક્વા, નાઇજીરીયાઃ આફ્રિકન દેશ નાઇજીરીયામાં વરસાદના કારણે ભારે તબાહી સર્જાઈ છે. નાઇજીરીયામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યો છે. પૂરના કારણે 111 લોકોના મોત થયા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ મૃત્યઆંક હજી પણ વધી શકે તેવું પણ જાણવા મળ્યું છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, નાઇજર રાજ્યના મોક્વામાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું. આ શહેર એ છે જ્યાં ઉત્તર નાઇજીરીયાના ખેડૂતો રાજધાની અબુજાથી લગભગ 300 કિલોમીટર પશ્ચિમમાં દક્ષિણના વેપારીઓને પોતાનો પાક વેચે છે.

નાઇજીરીયામાં પૂરના કારણે 111 લોકોના મોત થયાઃ મીડિયા રિપોર્ટ્સ
મોકામાં કેટલો વરસાદ પડ્યો છે? તે અંગે નાઇજીરીયન હાઇડ્રોલોજિકલ સર્વિસીસ એજન્સી દ્વારા કોઈ વિગતો આપવામાં આવી નથી. આ પ્રદેશ પહેલાથી જ આબોહવા પરિવર્તન અને અતિશય વરસાદને કારણે લાંબા દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. પહેલા દુષ્કાળ અને અત્યારે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. મોટી સંખ્યામાં લોકો ફસાયેલા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

George Esiri/Reuters

પૂરના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વારયલ
નાઇજીરીયા આવેલા પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ ભયાનક પૂરના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યાં છે. અનેક વિસ્તારોએ અત્યારે પાણીમાં ગરકાવ હોવાની પણ તસવીરો વાયરલ થઈ રહી છે. પૂરગ્રસ્ત ઘરોની છત જ દેખાતી હતી. કમર સુધી પાણીમાં ડૂબેલા લોકોએ પોતાનો સામાન અને એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નાઈજીરીયામાં અત્યારે લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે. 111 લોકોના મૃતદેહ મળ્યાં છે, જો કે હજી પણ વધારે લાશો મળી રહી છે, પરંતુ ગણતરી કરવાની બાકી છે. આંકડો હજી પણ 200થી પણ વધારે જઈ શકે છે.

પૂરને રોકવા માટે બાંધકામનું કામ પૂર્ણ થયું જ નહોતુંઃ સ્થાનિક અધિકારી
મોકવા સ્થાનિક સરકારી ક્ષેત્રના એક અધિકારીએ જણાવ્યું કે, પૂરને રોકવા માટેના બાંધકામના કામો લાંબા સમયથી બાકી હતા. તેમણે કહ્યું કે ભવિષ્યમાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરવા માટે આ કામો હાથ ધરવા મહત્વપૂર્ણ છે. એકબાજૂ નાઇજીરીયાના હાલત દુષ્કાળના કારણે ખૂબ જ ખરાબ થયેલા છે, અને હવે પડતા પર પાટું જેમાં અતિવૃષ્ટી થઈ છે. જેથી હવે આ દેશની હાલત વધારે ખરાબ થવાની છે. કારણે કે, નાઇજીરીયાની ગણતરી વિશ્વના સૌથી ગરીબ દેશોમાં થાય છે.

BBC

આપણ વાંચો : નાઇજીરીયામાં ટોળાએ 16 લોકોને જીવતા સળગાવી દીધા! કારણ જાણી તમે પણ ચોંકી જશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button