ઇન્ટરનેશનલનેશનલ

મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…

નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોક ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મ્યાનમારમાં 7.7 અને 6.4 ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યાં. આ ભૂકંપનું કેન્દ્ર શહેરથી માત્ર 16 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સાગાઇંગ નજીક સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.

ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર નોંધાઈ હતી અને તેના આંચકા થાઈલેન્ડના બેંગકોક સુધી અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈને રસ્તા પર નીકળી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ ભૂકંપના કારણે 145 કરતા પણ વધારે લોકોનું મોત થયું હોવાનો અંદાજ છે.

આપણ વાંચો: મ્યાનમાર-થાઈલેન્ડમાં ભૂકંપથી હાહાકાર, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા; વાંચો લેટેસ્ટ અપડેટ

મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભૂકંપથી થયેલા નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા ફોટા અને વીડિયો તેની તીવ્રતા દર્શાવે છે.

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું છે? તે જાણવા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે, ભૂકંપ શા માટે આવે છે? પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર ટકી છે. આ પ્લેટો ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ જ્યારે તેઓ એકબીજા સામે અથડાય છે અથવા સરકે છે, ત્યારે મુક્ત થતી ઊર્જા ભૂકંપના તરંગો ઉત્પન્ન કરે છે.

આ તરંગો ભૂકંપનું કારણ બને છે. ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાય છે, અત્યારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપના દ્રશ્યો જોતા કેટલું નુકસાન થયું હશે? તેનો અંદાજ લગાવી શકાય છે.

આપણ વાંચો: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપ, આંચકાથી અનેક શહેરો ધણધણી ઊઠ્યાં

ભૂકંપ માટે સાગાઈંગ સ્થળ ખૂબ જ સંવેદનશીલ

મ્યાનમારમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ હતું. ભૂકંપ માટે સાગાઈંગ સ્થળ ખૂબ જ સંવેદનશીલ છે. આ એવી જગ્યાએ છે જ્યાં ભારત અને બર્માની ટેક્ટોનિક પ્લેટોની સીમા આવેલી છે. ફોલ્ટ લાઇન લગભગ 1200 કિલોમીટર લાંબી છે.

મ્યાનમારમાં ભૂકંપનો ઇતિહાસ ખૂબ લાંબો રહ્યો છે. સાગાઈંગમાં ટેક્ટોનિક પ્લેટોની સતત હિલચાલ ચાલુ રહે છે, પરંતુ આ વખતે ભૂકંપની તીવ્રતા વધુ રહી છે. ઇમારતો ધરાશાયી થવાના અને પુલો તૂટી પડવાના વીડિયો સામે આવ્યા છે.

આપણ વાંચો: કચ્છના ભચાઉમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઃ કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિમી દૂર…

ભૂતકાળમાં પણ આવેલો છે આટલો ભયાનક ભૂકંપ!

આ પહેલાની વાત કરવામાં ભૂતકાળમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ આવેલો છે. 1946 માં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યાર બાદ 2012 માં પણ 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મામલે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું કે, ધરતી નીચે ભૂકંપ પેદા કરતી ટેક્ટોનિક પ્લેટ કેટલી ખસે છે? અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લેટોમાં દર વર્ષે હલનચલન થાય છે. તે એક વર્ષમાં 11 મીમીથી 18 મીમી ખસે છે.

નિષ્ણાતો કહે છે કે દર વર્ષે 18 મીમી સુધી એક પ્લેટ ખસે છે. જેના કારણે અનેક ઘણી બધી ઉર્જા સંગ્રહિત થાય છે, ઉર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થઈ શકે છે અને મોટો ભૂકંપ આવે છે. મ્યાનમારમાં પણ કંઈક આવું જ બન્યું. મ્યાનમારમાં આવેલા આ ભૂકંપના કારણે બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button