કેનેડામાં ખાલિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત: PM મોદીની હત્યાની ધમકી, ત્રિરંગાનું અપમાન

ઓટાવા: ભારત દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલા કેટલાક ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં આશ્રય લઇ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કનેડામાં ખુલ્લે આમ ખાલિસ્તાન તરફી રેલીઓ કાઢવામાં આવી રહી છે, જેમાં ભારત વિરોધી નારા પણ લાગવવામાં આવે છે. જેને કારણે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારીય તણાવ પેદા (India-Canada Diplomatic tension) થયો છે. એવામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાની ધમકી (Khalistani threatened to kill PM Modi) આપી છે.
આ વખતે G7 સમિટ કેનેડાના આલ્બર્ટામાં યોજવાની છે, કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક કાર્નેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું. કેનેડિયન વડાપ્રધાનના આ પગલાનો ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ વિરોધ કરી રહ્યા છે. એક રેલી દરમિયાન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને ભારતીય રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું અપમાન કર્યું હતું.
મોદીની હત્યાના નારા લાગ્યા:
શુક્રવારે ફોન પર વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ G-7 સમિટમાં હાજરી આપવા માટે કાર્નેના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. કેનેડા-ભારત વચ્ચે બગડેલા સંબંધો સુધારવા માટે આ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ તરફ ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવર અને કેનેડાના અન્ય શહેરોમાં રેલીઓ કાઢી, “મોદીની હત્યા કરો” (Kill Modi slogans in Canada) ના નારા લગાવ્યા હતાં.
કેનેડાના એક પત્રકારે ખુલાસો કર્યો છે કે એક રેલી દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ “પીએમ મોદીની રાજનીતિનો પણ એ જ રીતે અંત લાવશે.”
ખાલિસ્તાની સમર્થકોની રેલીમાં ભારતના રાષ્ટ્રધ્વજ ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું, ખાલિસ્તાની સમર્થકોએ ત્રિરંગાને તલવારથી ફાડી અને તેને આગ લગાડી હતી.
આવી ઘટના અગાઉ 19 ઓક્ટોબર, 2024 ના રોજ પણ જોવા મળી હતી. ખાલિસ્તાની સમર્થકોએ વડાપ્રધાન મોદીના પૂતળા બળ્યા હતાં અને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. આ ઘટનાઓથી કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની લાગણી વધી છે.
પન્નુએ લોકોને ભડકાવ્યા:
પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડીયો શેર કરીને લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. વિડીયોએ પન્નુએ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેનો આભાર માન્યો, જેમાં તેણે કહ્યું કે તેમણે G7 સમિટ દરમિયાન પીએમ મોદીને નિશાન બનાવવા માટે ખાલિસ્તાનીઓને ઐતિહાસિક તક આપી છે. પન્નુએ વડાપ્રધાન મોદીની 48 કલાકની કેનેડા મુલાકાત દરમિયાન વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી છે.