ઇન્ટરનેશનલ

યુદ્ધવિરામ પછી ઈરાન-ઈઝરાયલ વચ્ચે વિવાદઃ યુરેનિયમ મુદ્દે ઈઝરાયલની ધમકી

જેરુસલેમ: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ પણ તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. પરંતુ ઈરાને પોતાના ફોર્ડો પરમાણુ ઠેકાણાઓ ખાતેથી 400 કિલો યુરેનિયમનું સ્થળાંતર કરી લીધું હતું. જોકે, હવે ઇઝરાયલે ઈરાન પાસે રહેલા યુરેનિયમની માંગ કરી છે.

ઈરાન તેનું સમૃદ્ધ યુરેનિયમ આપે

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે એક મોટા નિવેદન સાથે ઈરાનને એક રીતે ચેતવણી આપી છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે જણાવ્યું છે કે, “અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાનને સંદેશ આપ્યો છે કે તેણે તેનું સમૃદ્ધ યુરેનિયમ સોંપવું પડશે. એવું માનવામાં આવે છે કે ઈરાને તેના યુરેનિયમને 60 ટકા સુધી સમૃદ્ધ કર્યું હતું. જો આ સ્તર 90 ટકા સુધી પહોંચી ગયું હોત, તો ઈરાન પરમાણુ બોમ્બ બનાવી શક્યું હોત.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને IAEA સહયોગ સ્થગિત કરવાના ઈરાનના નિર્ણય પર રશિયાનું મોટું નિવેદન…

ઈરાન હવે યુરેનિયમનો ઉપયોગ કરશે નહીં

કાત્ઝે આગળ જણાવ્યું હતું કે ઈઝરાયલ દ્વારા ઈરાનની પરમાણુ ક્ષમતાને નબળી પાડવા માટે ઈઝરાયલ દ્વારા તેના પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. હવે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમનો ઉપયોગ કરવાનો કોઈ રસ્તો નથી. ઈરાનની ટ્રાન્સફર સુવિધા પણ ત્યાં નાશ પામી છે, જ્યાં પરમાણુ બોમ્બનું નિર્માણ શક્ય હતું.”

ઈરાને છુપાવ્યું છે સમૃદ્ધ યુરેનિયમ

યુરોપિયન ગુપ્તચર નિષ્ણાતો માને છે કે હુમલાઓ બાદ પણ ઈરાનનો સમૃદ્ધ યુરેનિયમ ભંડાર મોટા ભાગે સુરક્ષિત છે. આ સિવાય અમેરિકાના હુમલા પહેલા ઈરાને 400 કિલો યુરેનિયમનું ગુપ્ત ઠેકાણે સ્થળાંતર કર્યું છે, એવી વાત પણ સામે આવી હતી. ઇઝરાયલ કાત્ઝે ઇન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, “ઇઝરાયલ પાસે ઇરાને તેના સમૃદ્ધ યુરેનિયમ ક્યાં છુપાવ્યું છે તેની કોઈ માહિતી નથી. આનાથી ઈરાન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રો બનાવવાની તૈયારી કરી રહ્યું હોય, એવી ચિંતા વધી ગઈ છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button