યુદ્ધવિરામના ચોથા દિવસે ઇઝરાયલના વડા પ્રધાન પહોચ્યા ગાઝા…
![Israeli Prime Minister reaches Gaza on](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Jignesh-Pathak-98.jpg)
ગાઝા પટ્ટી: ઇઝરાયલ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામનો આજે ચોથો દિવસ છે. યુદ્ધ વિરામના ચોથા દિવસે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટી મુલાકાત લીધી હતી અને સૈનિકો સાથે વાતચીત પણ કરી હતી. બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની પરિસ્થિતી વિશે માહિતી મેળવી હતી. આ મામલે નેતન્યાહુએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું આપણને કોઈ પણ રોકી શકશે નહીં.
હમાસે યુદ્ધ વિરામના શરત પ્રમાણે ગયા ત્રણ દિવસોમાં ઇઝરાયલના કુલ 41 નાગરિકને છોડ્યા હતા. ઇઝરાયલના નાગરિકોની સાથે હમાસે થાઇલેન્ડના ત્રણ અને રશિયાના એક પણ બંધકને પણ છોડ્યા હતા.
ઇઝરાયલે પણ પેલેસ્ટાઇનના 120 નાગરિકને મુક્ત કર્યાં હતા. આ યુદ્ધવિરામનો આજ છેલ્લો દિવસ છે આવતીકાલથી યુદ્ધ ફરી શરૂ થશે એવી ચિતા વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોમાં યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સે (આઇડીએફ)એ હમાસના પાંચ મુખ્ય કમાન્ડરોનો ખાતમો કરવાનો દાવો કર્યો છે. ગાઝા પટ્ટી પર આ જંગમાં આઇડીએફ ઓકેટજ ટુકડીના 4 શ્વાન (ડોગ્સ) પણ શહીદ થવાના સમાચાર છે.
આઇડીએફને હમાસ સામે લડવામાં આ સ્પેશિયલ ડોગ સ્ક્વોડ અનેક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઓકેટજ એટ્લે કે-9 યુનિટ ડોગ સ્ક્વોડ છુપાયેલા વિસ્ફોટક, હથિયારો અને બોમ્બને શોધવામાં મદદ કરે છે. શહીદ થયેલા આ ચાર ડોગ્સ જેમનું નામ મિડો, ટૈગા, જૈક અને ગાંદી છે તેમને કબ્રસ્તાનમાં દાટવામાં આવશે.
ઇઝરાયલે હમાસના પાંચ પ્રમુખ કમાન્ડરોનો મારી નાખવાનો પણ દાવો કર્યો છે, જેમાં અહેમદ ગંદૌર, આયમાન સિયામ, વાએલ રાજેબ જુદિયા અને ફરસાન હલીફા, રાફેત સલમાનનો સમાવેશ થાય છે.