ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળનો ભાગ ગણાવ્યો! આજે માંગી માફી

જેરુસલેમ, ઇઝરાયલઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે અત્યારે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઇરાનની મિસાઇલોની રેન્જ દર્શાવતો નકશો બહાર પાડ્યો જેમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને ઉત્તરપૂર્વ ભારતને નેપાળનો ભાગ તરીકે દર્શાવી દેવામાં આવ્યો હતો. ભારતના વિસ્તારને ખોટી રીતે દર્શાવી દેવામાં આવ્યો હોવાથી ઇઝરાયલી સૈન્યએ શનિવારે માફી માંગીને સ્પષ્ટતા કરી છે કે, આ નકશો ચોક્કસ રાષ્ટ્રીય સરહદોનું પ્રતિનિધિત્વ કરવાનો નથી.

ઇઝરાયલી સૈન્યએ શનિવારે માફી માંગીને કેવી સ્પષ્ટતા કરી?

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. જેથી ખોટા નકશાને લઈને ભારતમાં ભારે રોષ ફેલાયો હતો, જેના પગલે ઈઝરાયલી સૈન્ય દ્વારા માફી માંગવામાં આવી હતી. IDF એ શુક્રવારે એક્સ પર નકશો પોસ્ટ કર્યો હકો, જેમાં લખ્યું હતું કે, ‘ઈરાન એક વૈશ્વિક ખતરો છે’ અને ‘ઈઝરાયલ અંતિમ લક્ષ્ય નથી, તે ફક્ત શરૂઆત છે’. લશ્કરી આક્રમણનો ઉલ્લેખ કરતા વધારેમાં લખ્યું કે, ‘અમારી પાસે કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો’. પરંતુ મહત્વની વાત એ છે કે, આ નકશામાં ભારતને ઈરાનની મિસાઈલ રેન્જની અંદર પણ દર્શાવ્યું હતું. જેથી સોશિયલ મીડિયામાં લોકોએ ભારે વિરોધ કર્યો હતો.

એક્સ પર લોકોએ આ પોસ્ટની વિરોધ કર્યો હતો, લોકોએ લખ્યું કે, આ પોસ્ટમાં ભારતના નકશાને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યો સાથે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન ભાગો છે જેથી તેને તે રીતે જ દર્શાવવા જોઈએ. પરંતુ ખાસ વાત એ છે કે, આ પોસ્ટ માટે ઇઝરાયલી સૈન્યએ માફી માંગી લીધી છે.

ઇઝરાયલે શેર કરી પોસ્ટ પ્રમાણે 15 દેશો ઇરાની મિસાઇલોની રેન્જમાં છે

ઇઝરાયલી સૈન્ય દ્વારા શેર કરવામાં આવેલા નકશામાં ભારત સાથે રશિયા, યુક્રેન, ચીન અને સુદાન સહિત 15 દેશો ઇરાની મિસાઇલોની રેન્જમાં આવે છે. શુક્રવારે ઇઝરાયલે તેહરાન પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતો અને દાવો કર્યો કે આ કાર્યવાહીનો હેતુ ઇરાનના પરમાણુ સંવર્ધન કાર્યક્રમને નષ્ટ કરવાનો હતો. આ હુમલાઓમાં ઘણા ટોચના ઇરાની લશ્કરી કમાન્ડરો અને 70 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અત્યારે બન્ને દેશો વચ્ચે ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ફોન પર વાત પણ કરી હતી.

આ પણ વાંચો…ઇઝરાયેલના ઈરાન પરના હુમલામાં સશસ્ત્ર દળોના ચીફ મોહમ્મદ બઘેરીનું મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button