ઈઝરાયલ સાથેના યુદ્ધમાં 1,000 થી વધુ લોકોના મોતનો ઈરાનનો દાવો…

દુબઈઃ ઈરાનની સરકારે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં ઓછામાં ઓછા ૧,૦૬૦ લોકોના મોત થયા હોવાનું જણાવીને ચેતવણી આપી છે કે આ આંકડો વધી શકે છે. ઈરાનના ફાઉન્ડેશન ઓફ માર્ટીયર્સ એન્ડ વેટરન્સ અફેર્સના વડા સઈદ ઓહાદીએ સોમવારે મોડી રાત્રે ઈરાની રાજ્ય ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક ઇન્ટરવ્યુમાં આ આંકડો આપ્યો હતો. ઓહાદીએ ચેતવણી આપી હતી કે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જોતાં મૃત્યુઆંક ૧,૧૦૦ સુધી પહોંચી શકે છે.
યુદ્ધ દરમિયાન, ઈરાને ઈઝરાયલ દ્વારા દેશ પર ૧૨ દિવસના બોમ્બમારાની અસરોને ઓછી આંકી હતી, જેના કારણે તેના હવાઈ સંરક્ષણને નુકસાન થયું હતું, લશ્કરી સ્થળોનો નાશ થયો હતો અને તેના પરમાણુ સુવિધાઓને નુકસાન થયું હતું. યુદ્ધવિરામ લાગુ થયા પછી ઈરાન ધીમે ધીમે વિનાશની વાસ્તવિકતા સ્વીકારી રહ્યું છે, જોકે તેણે હજુ સુધી કહ્યું નથી કે તેણે કેટલી લશ્કરી સામગ્રી ગુમાવી છે.
વોશિંગ્ટન હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ જૂથ, જેણે ઈરાનમાં અનેક તબક્કાની અશાંતિમાં થયેલા નુકસાનના વિગતવાર આંકડા પૂરા પાડ્યા છે, તેણે કહ્યું છે કે ૧૧૯૦ લોકો માર્યા ગયા છે, જેમાં ૪૩૬ નાગરિકો અને ૪૩૫ સુરક્ષા દળના સભ્યનો સમાવેશ થાય છે. જૂથે જણાવ્યું હતું કે હુમલાઓમાં ૪૪૭૫ લોકો ઘાયલ થયા છે.
આપણ વાંચો :નેતન્યાહૂએ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા; કહ્યું દુનિયામાં ઘણા યુદ્ધો અટકાવ્યા