ઇન્ટરનેશનલ

ઈરાનમાં હત્યાકાંડ: ખામેની સરકારે પ્રદર્શનકારીઓ પર કરાવ્યો ગોળીબાર, 200થી વધુના મોત

તહેરાન: ઇરાનની અર્થવ્યવ્યસ્થા ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય દબાણમાં રહી છે. ગત વર્ષે ઈરાનમાં યુદ્ધનો માહોલ સર્જાયો હતો. જેના કારણે ઈરાનમાં તણાવ વધ્યો હતો. આવી પરિસ્થિતિને કારણે ઈરાની રિયાલની કિંમત ડૉલરની સરખામણીમાં ઝડપથી ઘટી ગઈ છે. જેથી ઈરાનમાં મોંઘવારી વધી છે. જેથી ઈરાનના નાગરિકોએ પોતાની સરકારી સામે બળવો પોકાર્યો છે અને જનઆંદોલન શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ, ખામનેઈની સરકારે પ્રદર્શનકારીઓ સામે ગોળીબાર કર્યો છે. જેમાં અનેક પ્રદર્શનકારીઓના મોત થયા છે.

200થી વધુ પ્રદર્શનકારીઓના મોત

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનમાં 7 જાન્યુઆરી પછી સમગ્ર દેશમાં જનઆંદોલનો શરૂ થઈ ગયા હતા. તહેરાનથી લઈને ઉત્તર-પશ્ચિમ ઈરાન સુધીના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જનઆંદોલનમાં સિક્યુરિટી ફોર્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો વધી છે.

પરિણામે જનઆંદોલને હિંસક વળાંક લીધો છે. 2 જાન્યુઆરી 2026ના રોજ કુહાદશ્ત અને મારવદાશ્ત ખાતે સુરક્ષા દળોના સીધા ગોળીબારમાં 3 લોકોના મોત અને 17 લોકો ઘાયલ થયા હતા. હવે તાજેતરમાં પણ ઈરાનમાં મોટો ગોળીબાર થયો છે.

મળતી માહિતી મુજબ તાજેતરમાં તહેરાન ખાતે સરકારે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 200થી વધુ લોકોના મોત થયા છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ આ હુમલા પાછળ ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. કારણ કે, અમેરિકાએ પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું છે. અગાઉ અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જનતાનો વાજબી ગુસ્સો ગણાવ્યો હતો. અમેરિકાના મતે ઈરાની શાસને દાયકાઓ સુધી કૃષિ, પાણી અને વીજળી જેવા પાયાના પ્રશ્નોની અવગણના કરી છે.

અમેરિકાની ઈરાનને ધમકી

ઈરાનમાં ફાટી નીકળેલી હિંસાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની સરકારને સીધી ધમકી આપતા કહ્યું છે કે જો શાંતિપૂર્ણ રીતે જનઆંદોલન કરતા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવશે તો અમેરિકા તેમનું રક્ષણ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે લખ્યું છે કે We are locked and loaded and ready to go. ટ્રમ્પનું આ વાક્ય એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકન લશ્કર કોઈ પણ સમયે હસ્તક્ષેપ કરવા સજ્જ છે. જોકે, હવે ઈરાનમાં 200થી વધુ લોકોના મોત થયા છે, ત્યારે અમેરિકા ચૂપ બેસી રહેશે એવું લાગી રહ્યું નથી.

ઈરાનના ન્યાયિક અધિકારીઓએ પ્રદર્શનકારીઓને “તોફાનીઓ” ગણાવ્યા છે અને તેમની સામે કડક ન્યાયિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. લો રેસ્તાન પ્રાંતના ચીફ જસ્ટીસ સઈદાઈ શાહ હવારીએ જણાવ્યું હતું કે, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો…ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકા અને ઇઝરાયલને આપી ચેતવણી, કહ્યું હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button