ઇન્ટરનેશનલ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: રશિયા ઈરાનની પડખે, ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો?

મોસ્કો/તહેરાન: ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાની દખલ બાદ વૈશ્વિક સ્તરે તણાવમાં વધારો થયો છે. અમેરિકાના હુમલા બાદ ઘણા દેશોના પ્રતિનિધિ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. ત્યારે હવે રશિયા ખુલ્લેઆમ ઈરાનની પડખે આવી ઊભુ રહ્યું છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને દરેક પ્રકારની મદદનું આશ્વાસન આપ્યું છે. આ ઘટનાએ વૈશ્વિક તણાવ વધાર્યો છે, જેનાથી ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઊભું થયું છે. ઈરાન પર અમેરિકાના હુમલા બાદ રૂસે તેની કડક નિંદા કરી છે, પરંતુ વધુ જોખમો ઊભા થાય તો નવાઈ નહીં.

રૂસના ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ઈરાન જે પણ મદદ માગશે, રૂસ તે આપવા તૈયાર છે. તેમણે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા 10 દિવસના સંઘર્ષ વચ્ચે મધ્યસ્થતાની ઓફર પણ કરવામાં આવી હતી. પેસ્કોવે ઉમેર્યું કે ઈરાને જરૂરી મદદનો નિર્ણય લેવાનો છે, અને રૂસ તેનું પાલન કરશે.

પેસ્કોવે રૂસનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે ઈરાન-ઈઝરાયલ તણાવમાં રૂસની સ્થિતિ ઈરાનના સમર્થનમાં છે. તેમણે જણાવ્યું કે રૂસે આ મુદ્દે વૈશ્વિક સ્તરે પોતાનો પક્ષ ખુલ્લો મૂક્યો છે, જે ઈરાન માટે ટેકાનું પ્રતીક છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરની ચર્ચામાં ઈરાનનો મુદ્દો વારંવાર ઉઠ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ ઈરાનના ફોર્ડો પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો: IAEAના વડાએ ગંભીર નુકસાનની આશંકા વ્યક્ત કરી

પુતિને મોસ્કોમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથેની મુલાકાતમાં અમેરિકાના હુમલાઓને અનુચિત ગણાવ્યા. તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયે રૂસ ઈરાનના લોકોની મદદ માટે પ્રયાસમાં છે. પુતિને આશા વ્યક્ત કરી કે આ મુલાકાતથી બંને દેશો સમસ્યાનું સમાધાન શોધી શકશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેનાથી પશ્ચિમ એશિયામાં અશાંતિ ફેલાઈ છે. આ સ્થિતિ વૈશ્વિકશાંતિ માટે ગંભીર ખતરો બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button