ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં 585 લોકોના મોત, માનવાધિકાર જૂથે કર્યો દાવો

દુબઈઃ ઈઝરાયલે આજે વહેલી સવારે ઇરાનની રાજધાની પર હવાઈ હુમલો કર્યો હતો. એક માનવાધિકાર જૂથે જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં સમગ્ર ઈરાનમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા હતા અને 1,326 અન્ય ઘાયલ થયા હતા.
વોશિંગ્ટન સ્થિત જૂથ હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સે જણાવ્યું હતું કે તેણે ઈઝરાયલી હુમલામાં માર્યા ગયેલા લોકોમાંથી 239 નાગરિકો અને 126 સુરક્ષા કર્મચારીઓની ઓળખ કરી છે. આ જૂથે મહસા અમીનીના મૃત્યુ પર 2022ના વિરોધ પ્રદર્શન દરમિયાન વિગતવાર જાનહાનિના આંકડા પણ પૂરા પાડ્યા હતા.
ઈરાન યુદ્ધ દરમિયાન નિયમિત મોતના આંકડાઓ જાહેર કરી રહ્યું નથી અને ભૂતકાળમાં મૃતકોની સંખ્યા ઓછી બતાવી હતી. સોમવારે જાહેર કરાયેલા તેના છેલ્લા અપડેટમાં, મૃત્યુઆંક 224 લોકો હતી અને 1,277 અન્ય ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….
આ ક્ષેત્રમાં અનિશ્વિતતાના માહોલ છે અને ઈરાનના સૈન્ય અને પરમાણુ કાર્યક્રમના ઉદ્દેશ્યથી ઈઝરાયલના હવાઇ હુમલાના છઠ્ઠા દિવસે તેહરાનના લોકો મોટી સંખ્યામાં ઘરોમાંથી ભાગી ગયા હતા. ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે ઇરાનને પરમાણુ હથિયાર બનાવવાની નજીક પહોંચતા અટકાવવા માટે તેની હવાઈ કાર્યવાહી શરૂ કરવી પડી હતી. ઇરાન અને અમેરિકા તેહરાનના કાર્યક્રમ પર નવા રાજદ્વારી કરારની શક્યતા પર વાટાઘાટો કરી રહ્યા હતા, જોકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલનું આ અભિયાન તેમણે વાટાઘાટો માટે નિર્ધારિત 60 દિવસની મુદત પછી શરૂ કરાયું છે.
ઇરાન લાંબા સમયથી આગ્રહ રાખે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હતો, જોકે તે એકમાત્ર બિન-પરમાણુ-સશસ્ત્ર રાજ્ય હતું જેણે 60 ટકા સુધી યુરેનિયમનું સંવર્ધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ નિરીક્ષક સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી હજુ પણ દેશમાં મર્યાદિત હોવા છતાં નિરીક્ષણો કરી રહી હતી. યુએસ ગુપ્તચર એજન્સીઓએ પણ કહ્યું છે કે તેઓ માનતા નથી કે ઇરાન સક્રિય રીતે બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: પ્રાસંગિક: ઈરાન-ઈઝરાયલનો જંગ, વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર?
તહેરાનમાં ઘણી દુકાનો તેમજ પ્રાચીન ગ્રાન્ડ બજાર બંધ જોવા મળ્યા હતા. બજાર ફક્ત કટોકટીના સમયે જ બંધ થયું છે, જેમ કે 2022ના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો અને કોરોનાવાયરસ મહામારી દરમિયાન આઆ બજાર બંધ રહ્યું હતું.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે ફોન પર પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.