ગાઝામાં રાહત સામગ્રી લેવા ગયેલા પેલેસ્ટાઇનિયો પર ફાયરિંગ: 25નાં મોત

રફાહ (ગાઝા પટ્ટી): ગાઝામાં ઇઝરાયલી સહાયતા કેન્દ્ર પર રાહત સામગ્રી લેવા જઇ રહેલા ઓછામાં ઓછા 25 લોકો માર્યા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી હતી.
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ઇઝરાયલી સમર્થિત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સહાય સ્થળથી લગભગ એક કિલોમીટર (1,000 યાર્ડ) દૂર ઇઝરાયલી દળોએ ભીડ પર ગોળીબાર કર્યો હતો.
સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે “હાલમાં માનવતાવાદી સહાય વિતરણ સ્થળની અંદર (ઇઝરાયલી લશ્કર) ગોળીબારથી થયેલી ઇજાઓથી અજાણ છે. આ બાબત હજુ પણ સમીક્ષા હેઠળ છે.”
આપણ વાંચો: ગાઝામાં ઇઝરાયલી હુમલામાં ૫૦ નાં મોતઃ નેતન્યાહૂએ મંત્રણા માટે પ્રતિનિધિમંડળને આપી મંજૂરી…
ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે આજે “કોઈ ઘટના વિના” સહાય પહોંચાડી હતી અને તેના સ્થળોની આસપાસ અરાજકતા અને ગોળીબારના અગાઉના અહેવાલોને નકારી કાઢ્યા છે, જે ઇઝરાયલી લશ્કરી ઝોનમાં છે જ્યાં સ્વતંત્ર પ્રવેશ મર્યાદિત છે.
ગાઝા આરોગ્ય મંત્રાલયના રેકોર્ડ વિભાગના વડા ઝહીર અલ-વહીદીએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે.
કલાકો પહેલાં રેડ ક્રોસ દ્વારા સંચાલિત નજીકની ફિલ્ડ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે અને 175 લોકો ઘાયલ થયા છે, પરંતુ તેમના પર કોણે ગોળીબાર કર્યો તે જણાવ્યું ન હતું.
આપણ વાંચો: Gaza Tragedy: ગાઝામાં એક તરફ ભૂખમરો, ઉપરથી ઇઝરાયલી સેનાનો ગોળીબાર!
અધિકારીઓએ નામ ન આપવાની શરતે વાત કરી હતી કારણ કે તેઓ પત્રકારો સાથે વાત કરવા માટે અધિકૃત ન હતા. એસોસિએટેડ પ્રેસના એક પત્રકારે ડઝનેક ઘાયલોને હોસ્પિટલમાં સારવાર લેતા જોયા.
ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સહાય વિતરણ દરમિયાન અંધાધૂંધી સર્જાઈ છે અને અનેક સાક્ષીઓએ જણાવ્યું છે કે ઇઝરાયલી સૈનિકોએ ડિલિવરી સ્થળોની નજીક ભીડ પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા.
ફાઉન્ડેશનનું કહેવું છે કે તેના સ્થળોની રક્ષા કરતા ખાનગી સુરક્ષા કોન્ટ્રાક્ટરોએ ભીડ પર ગોળીબાર કર્યો નથી, જ્યારે ઇઝરાયલી સૈન્યએ અગાઉના અવસરોએ ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યા હોવાનું સ્વીકાર્યું છે.
ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે રવિવારે વહેલી સવારે 16 ટ્રક ભરેલી સહાયનું વિતરણ “કોઈ ઘટના વિના” તથા તેણે “મૃત્યુ, સામૂહિક ઇજાઓ અને અરાજકતા વિશે ખોટા રિપોર્ટિંગને ફગાવી દીધું હતું.
આપણ વાંચો: યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો, 180 પેલેસ્ટિનિયનના મોત
સવારના કલાકો પહેલા હજારો લોકો વિતરણ સ્થળ તરફ આગળ વધ્યા હતા. જેમ જેમ તેઓ સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા, ઇઝરાયલી દળોએ તેમને વિખેરાઈ જવા અને પાછા ફરવાનો આદેશ આપ્યો હતો, સાક્ષીઓએ જણાવ્યું હતું.
જ્યારે ભીડ લગભગ 1 કિલોમીટર (1,000 યાર્ડ) દૂર ફ્લેગ રાઉન્ડઅબાઉટ પર પહોંચી ત્યારે લગભગ ત્રણ વાગ્યે ઇઝરાયલી દળોએ ફાયરિંગ શરૂ કર્યું હતું.
ભીડમાં રહેલા અમર અબૂ તેઇબાએ કહ્યું કે નૌકાદળના યુદ્ધ જહાજોમાંથી, ટેન્કો અને ડ્રોનમાંથી ચારેતરફથી ફાયરિંગ થઇ રહી હતી. તેમણે કહ્યું કે તેમણે ઓછામાં ઓછા 10 મૃતદેહો જોયા હતા. મહિલાઓ સહિત ઘણા અન્ય ઘાયલ લોકો પણ જોયા હતા લોકોએ મૃતકો અને ઘાયલોને ફિલ્ડ હોસ્પિટલ લઈ જવા માટે ગાડીઓનો ઉપયોગ કર્યો હતો.