આયર્લેન્ડમાં 800 શિશુઓની સામૂહિક કબર! ખોદકામ બાદ થશે મોટા ખુલાસા, ચર્ચની સંસ્થાના પર સવાલ

ગેલવે: હાલ આયર્લેન્ડમાં ચર્ચ દ્વારા સંચાલિત એક સંસ્થાના પ્રાંગણમાં ખોદકામનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. આ ખોદકામથી ઈતિહાસમાં ચર્ચ દ્વારા સંચાલિત સંસ્થાઓમાં થતા કથિત અનૈતિક કૃત્યો અંગે ખુલસો થઇ શકે છે. લાંબી રાહ જોયા બાદ ખોદકામ શરૂ થઇ ગયું છે. અપરિણીત મહિલાઓ માટેના સંભાળ ગૃહમાં લગભગ 800 શિશુઓ અને નાના બાળકોના અવશેષો મળી આવે તેવી શક્યતા છે.
પશ્ચિમ આયર્લેન્ડમાં કાઉન્ટી ગેલવેના તુઆમમાં બોન સેકોર્સ મધર એન્ડ બેબી હોમમાં ખોદકામ માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. સંભાળ ગૃહમાં કેથોલિક નન્સના દ્વારા ચલાવવામાં આવતું હતું, તે 1961 માં બંધ થઈ ગયું. આ એવી ઘણી સંસ્થાઓમાંની એક હતી જેમાં હજારો અનાથ અને અપરિણીત ગર્ભવતી મહિલાઓને રાખવામાં આવતી હતી. આ મહિલાઓને બાળકોનો ત્યાગ કરવાની ફરજ પડી હતી.
2014 માં, ઇતિહાસકાર કેથરિન કોર્લેસે 1920 અને 1961 ની વચ્ચે તુઆમના સંભાળ ગૃહમાં મૃત્યુ પામેલા લગભગ 800 બાળકોના મૃત્યુ પ્રમાણપત્રો શોધી કાઢ્યા, પરંતુ તેમને ફક્ત એક જ બાળકને દફન કર્યું હોવાનો રેકોર્ડ મળ્યો, જેને કારણે હોબાળો મચી ગયો હતો. તપાસકર્તાઓને ગૃહની જમીનમાં આવેલા ભૂગર્ભ ગટર સ્ટ્રક્ચરમાં શિશુઓ અને નાના બાળકોના અવશેષો સાથેની એક સામૂહિક કબર મળી આવી હતી. આ બાળકોની ઉંમર ગર્ભાવસ્થાના 9 મહિનાથી માંડીએને 3 વર્ષ સુધીની હતી.
આ પણ વાંચો - ઇન્ડોનેશિયામાં ફાટ્યો જ્વાળામુખી! બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પરત આવી, અનેક ઉડાનો રદ…
તુઆમ ખાતે બાળકોના અવશેષોના ઉત્ખનન કાર્યનું નેતૃત્વ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે સ્થળ પરથી મળેલા અવશેષોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. જો અવશેષની ઓળખ થાય તો પરિવારના સભ્યોને સોંપવામાં કરવામાં આવશે. જે અવશેષોની ઓળખ ન થાય તેને ધાર્મિક પરંપરાઓ અનુસાર યોગ્ય રીતે દફનાવવામાં આવશે.