ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનના ‘પેનિક’માં વધારોઃ પાકિસ્તાનથી ‘આઝાદ’ થવા બલુચિસ્તાનની માગણી

ભારત સાથે વૈશ્વિક નેતાઓને અલગ થવા માટે બલૂચ નેતાએ કર્યો અનુરોધ

ક્વેટાઃ પહલગામ હુમલા પછી ભારત સામે બાથ ભીડવાનું પાકિસ્તાન માટે મુશ્કેલીજનક રહ્યું છે ત્યારે પાકિસ્તાનથી અલગ થવા માટે બલુચિસ્તાન જોરદાર લડત લડી રહ્યું છે. આજે એના સંબંધમાં નેતાએ સ્વતંત્ર થવા માટે વૈશ્વિક નેતાઓને અનુરોધ કર્યો છે.

છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન અલગ થવા માટે લડાઈ લડી રહ્યું છે. તેને લઈને અત્યારે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. બલૂચ નેતાઓએ હવે સ્વતંત્ર બલુચિસ્તાનની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, ભારત પાસે નવા દેશ બલુચિસ્તાન માટે સમર્થન માંગ્યું છે.

આપણ વાંચો: બાંગ્લાદેશ પછી બલુચિસ્તાન?: બલોચ આર્મીએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી

પહેલા પાકિસ્તાનથી બાંગ્લાદેશ અલગ થયું હતું, તે વખતે ભારતે બાંગ્લાદેશને મદદ કરી હતી. જેના કારણે પાકિસ્તાનના બે ભાગ પડ્યાં હતાં. હવે ફરી પાછો એ જ દોર શરૂ થયું છે. કારણ કે, બલૂચ નેતાએ કહ્યું હતું કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી.

સ્વતંત્રતા માટે તેણે ભારત અને વૈશ્વિક સમુદાય પાસેથી સમર્થન માંગ્યું. બલુચિસ્તાને પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કરી દીધી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલૂચે બુધવારે રાજ્યમાં દાયકાઓથી ચાલી રહેલી હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનો બાદ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા કરી છે.

આપણ વાંચો: પાકિસ્તાનમાં બળવો! બલુચિસ્તાનમાં આર્મી કેમ્પ પર હુમલો; આર્મી ચીફની હકાલપટ્ટીના અહેવાલ

પાકિસ્તાનને PoK ખાલી કરવા ભારતના નિર્ણયને સમર્થન

બલૂચ નેતાએ ભારતના નાગરિકોને પણ કહ્યું છે કે, તેઓ અમના પાકિસ્તાની ના કહે, અમે પાકિસ્તાની નહીં પરંતુ બલુચિસ્તાની છીએ. એટલું જ નહીં પરંતુ બલૂચ નેતા મીર યાર બલોચે પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, બલુચિસ્તાન 14 મે 2025ના રોજ પાકિસ્તાનને PoK ખાલી કરવા કહેવાના ભારતના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે.

આપણ વાંચો: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મોટો વિસ્ફોટ; 6 સૈનિકોના મોત, 5 ઘાયલ

આતંકવાદ સામે ભારતનું ઓપરેશન સિંદૂર યથાવત

ભારતે ઓપરેશન સિંદૂરથી પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. આ ઓપરેશનને પાકિસ્તાને પોતાન પર લીધું હતું. જેથી ભારતે પાકિસ્તાને પણ પાઠ ભણાવ્યો હતો. જેમાં પાકિસ્તાનના 40થી પણ વધારે સૈનિકો માર્યા ગયાના અહેવાલો પ્રકાશમાં આવ્યાં છે.

પાકિસ્તાન હવે દરેક બાજુથી ભાંગી પડવાનું છે. કારણે ભારતે તો ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ સામે ઓપરેશન સિંદૂર યથાવત રહેશે. પાકિસ્તાને આતંકવાદને આશરો આપ્યો છે, તેવા અનેક પૂરાવાઓ તો છે. પાકિસ્તાન આર્થિક અને રાજકીય રીતે તો બરબાદ થયું છે પરંતુ હવે ભૌગોલિક રીતે પણ બરબાદ થવા જઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button