પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ વકર્યુ, 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા, BLAના 9 લોકોનું મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ભીષણ યુદ્ધ જોવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં પાકિસ્તાની સેનાના 23 જવાનો અને બીએલએના 9 લડવૈયાઓ માર્યા ગયા છે. બીએલએના પ્રવક્તા જાયન્દ બલૂચે જણાવ્યું કે ગોની પારા ખાતે પાકિસ્તાની સેનાએ હેલિકોપ્ટર દ્વારા કમાન્ડો ઉતાર્યા હતા જેનાથી ગૃહ યુદ્ધમાં વધારો થયો છે.
6 જૂનની રાત્રે મસ્તંગ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની આગેકૂચ દરમિયાન બીએલએના લડવૈયાઓ સાથે સંઘર્ષ શરૂ થયો હતો. આ લશ્કરી કાર્યવાહીમાં 8 જવાનો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા. 8 જૂનના રોજ થયેલી બીજી કાર્યવાહીમાં પણ સેનાને નુકસાન થયું. લશ્કરી કાર્યવાહી સાથે બલૂચ પ્રવક્તા દ્વારા દાવો કર્યો છે કે, તેઓ પાકિ આર્મી પર ભારે પડી રહી છે.
બલૂચિસ્તાનમાં અલગાવવાદી જૂથો અને પાકિસ્તાની સેના વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે. બલૂચ લડવૈયાઓએ કેટલાક શહેરો પર કબજો કર્યો હોવાના અહેવાલોએ સેનાને ચિંતામાં મૂકી દીધી છે. જવાબમાં, સેનાએ નાગરિકો વિરુદ્ધ કઠોર કાર્યવાહી શરૂ કરી, જેમાં જબરદસ્તી ગાયબ કરવાની ઘટનાઓ વધી છે. આવી કાર્યવાહીઓએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, બલૂચના પાસનીમાં બે લોકો અને કેચના દશ બાલનિગોરમાં સાત યુવકોને સુરક્ષાબળોએ હિરાસતમાં લઈને અજાણી જગ્યાએ લઈ ગયા. આવી ઘટનાઓ બલૂચિસ્તાનમાં લાંબા સમયથી ચાલી રહી છે. માનવાધિકાર સંગઠનોએ પાકિસ્તાન સરકાર પર નાગરિકો, વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકરોને બિનકાયદેસર નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે, જેની વિરુદ્ધ સ્થાનિક લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
આ પણ વાંચો…પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરનારા પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન મોદીએ કરી મુલાકાત…