ગાંધીનગર

PM મોદીનો મોટો નિર્ણય, વિશ્વની સૌથી જૂની અરવલ્લીની ગિરિમાળાઓ હવે બનશે ગ્રીન વોલ

બનાસકાંઠાથી લઈ દાહોદ સુધી અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ પ્રોજેક્ટમાં સમાવાશે

ગાંધીનગર: અરવલ્લીની ગિરિમાળાઓને વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ગિરિમાળાઓમાં અનેક મોટા પર્વતોનો પણ સમાવેશ થયા છે. અરવલ્લીની ગિરિમાળાઓની લગભગ 692 કિલોમીટર લાંબી છે. એટલું જ નહીં પરંતુ અરવલ્લીની ગિરિમાળાઓ 150 કરોડ વર્ષ જૂની હોવાનું ઈતિહાસકારો કહે છે. મહત્વની વાત એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીનો અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકો સિસ્ટમને ફાયદો થશે.

અરવલ્લીની ગિરિમાળાઓ લીલીછમ બનાવવા સરકારને લીધો નિર્ણય

અત્યારે ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી અરવલ્લીની ગિરિમાળાઓ લીલીછમ બનાવવા માટે ગ્રીન વોલ બનાવમાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના આ નિર્ણય માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચોંધરીએ ખાસ આભાર માન્યો છે. શંકર ચોંધરીએ સોશિલય મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, ‘વિશ્વ પર્યાવરણ દિવસે, વડા પ્રધાન મોદીએ અરવલ્લી પર્વતમાળામાં પુનઃવનીકરણની શરૂઆત કરીને અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ (Aravali Green Wall Project) શરૂ કરીને આપણા સમૃદ્ધ કુદરતી વારસાના રક્ષણ માટે એક મોટું પગલું ભર્યું’. વધુમાં કહ્યું કે, ‘મા અંબાજીના આશીર્વાદથી, આપણે આને જનઆંદોલન બનાવીશું. આપણા પર્યાવરણને આ ભેટ આપવા બદલ હું મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું’.

ગ્રીન વોલના કારણે ગુજરાતની ઇકો સિસ્ટમને મોટા પ્રમાણમાં ફાયદો થશે

નોંધનીય છે કે, ગુજરાતમાં બનાસકાંઠાથી લઈને છેક દાહોદ સુધીનો અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા આવશે. ગ્રીન વોલ બનાવના ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકો સિસ્ટમને મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે. આ વિસ્તારમાં જેટલા વૃક્ષો વધારે હશે તો વરસાદ પણ વધુ પડી શકે. બનાસ ડેરી દ્વારા પણ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી તેને વનની લીલુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો….સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button