Patan સુધી પહોંચ્યું નર્મદાનું નીર, 2.02 લાખ હેકટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવાયો

ગાંધીનગર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં હરિયાળી પથરાઈ છે. જેમાં નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલ મારફતે અનેક શહેરો અને જિલ્લાને પીવાનું અને સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
જયારે નર્મદાનું પાણી હવે પાટણ(Patan)જિલ્લા સુધી પણ પહોંચ્યું છે. જેમાં પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર 2024 ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવાયો છે.
આપણ વાંચો: Narmada Yojana: નર્મદા યોજનાના ભાગીદાર રાજ્યોએ ગુજરાતને રૂ.7,576 કરોડ આપવાના બાકી, સરકારે આપી માહિતી
છ શાખા નહેરોનો સમાવેશ
આ અંગે મંત્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત બોલેરા શાખામાં 38,950 હેક્ટર, રાજપુરા શાખામાં 51,448 હેક્ટર, અમરાપુરામાં 36,246 હેક્ટર, ઝીંઝુવાડામાં 4312 હેક્ટર, રાધનપુર શાખામાં 47,086 હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં 24,022 હેક્ટર એમ કુલ છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેના દ્વારા કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે.
આ ઉપરાંત નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે.