ગુજરત સરકારે ગરીબ બાળકો માટેની વિશેષ શાળાઓની સંખ્યા 85 થી ઘટાડીને 25 કરી

ગુજરત સરકારે ગરીબ બાળકો માટેની વિશેષ શાળાઓની સંખ્યા 85 થી ઘટાડીને 25 કરી

એક વર્ષ પહેલા વડા પ્રધાન મોદીએ રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એ સમયે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ હેઠળ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ 50 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ, 25 જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળાઓ અને 10 રક્ષા શક્તિ શાળાઓની એમ કુલ 85 વિશેષ શાળાઓ બનાવવામાં આવશે. પરંતુ હવે રાજ્ય સરકારે આવી વિશેષ શાળાઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે, હવે આવી માત્ર 25 શાળાઓ જ બનાવવામાં આવશે.

આ યોજનાની શાળાઓમાં ગરીબ પરિવારોના વર્ગ 6 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવામાં આવશે. સરકારે હવે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓ અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓની સંખ્યા ઘટાડીને કુલ 20 અને રક્ષા શક્તિ શાળાઓની સંખ્યા 5 કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યનો શિક્ષણ વિભાગ આ માત્ર 25 શાળાઓમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગને આ શાળાઓ સ્થાપવા માટે પ્રાઈવેટ ક્ષેત્ર પાસેથી લગભગ 300 અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા. વિભાગે ચકાસણી બાદ તેમાંથી 150 ની પસંદગી કરી હતી અને ત્યાર બાદ 75ને શોર્ટલિસ્ટ કર્યા હતા. સરકારે આખરે 20 અરજદારોની પસંદગી કરી છે.

દરેક જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળા અને ટ્રાઇબલ રેસિડેન્શિયલ શાળામાં 300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, તથા દરેક રક્ષા શક્તિ રેસિડેન્શિયલ શાળામાં 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button