આપણું ગુજરાત

સમગ્ર ક્ષત્રીય સમાજ મા આશાપુરાના ચરણોમાં આભાર વંદના કરવા પગપાળા માતાના મઢ જશે.

આજે સમગ્ર ગુજરાતમાં અંદાજિત 40 જગ્યાએથી માતાજીના મંદિરેથી પગપાળા માતાના મઢ મા આશાપુરાના સાનિધ્યમાં ક્ષત્રિયો માથું નમાવવા જઈ રહ્યા છે. 45 થી 50 દિવસનું વીરોધ પ્રદર્શન શાંતિથી સંપન્ન થયું અને પરિણામલક્ષી રહે તે માટે માતાજીના દરબારમાં તમામ ક્ષત્રિયો માથું ટેકવવા જઈ રહ્યા છે.

આ માટે ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમિતિ દ્વારા આશાપુરા મંદિર થી માતાનામઢ પદયાત્રાનું આયોજન કરાયુ છે. રાજકોટ ખાતે મા આશાપુરાના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજના લોકોએ મસ્તક નમાવી યાત્રાનો શુભારંભ કર્યો હતો.
આંદોલનને ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

ચૂંટણી રિઝલ્ટના આગલા દિવસે કચ્છ માતાના મઢ મહાઆરતી કરવામાં આવશે.
ઘણા દિવસથી ક્ષત્રિય આંદોલન વિશેના કોઈ સમાચાર વર્તમાનપત્રો કે મીડિયામાં જુવા સાંભળવા મળ્યા ન હતા. આજે ફરી ક્ષત્રિય સમાજના સમાચાર એ રાજકીય પક્ષોમાં થોડી હલચલ મચાવી છે આંદોલન હજુ પૂર્ણ થયું નથી તેવા સંકેતો આ પદયાત્રા પરથી મળી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી