વિરમગામમાં મેગા ડિમોલિશનઃ 200 મકાન, 10 ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર

વિરમગામ: સોમનાથ ડીલોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. સમગ્ર કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહિ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ 5 જેસીબી મશીન અને 10 ટ્રેકટરની મદદથી સમગ્ર કાર્યવાહી કરી હતી.
આપણ વાંચો: સોમનાથ મંદિર આસપાસ બુલડોઝર કાર્યવાહીનો મામલો પહોચ્યો સુપ્રીમ કોર્ટ
ડિમોલીશનમાં 200 જેટલા રહેણાંક મકાનના દબાણો તેમજ 10 મંદિર અને દરગાહ સહિતના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહીમાં તંત્ર તરફથી સૂચના મળ્યા બાદ અનેક રહેણાંક મકાનોમા દબાણ સ્વયંભૂ દૂર કર્યા છે. વિરમગામ જિલ્લો બને તે પહેલા જ ડિમોલિશન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ જગ્યાઓ પર આગામી સમયમાં વિકાસકાર્યોની શરૂઆત કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.