રાજકોટ

રાજકોટમાં અચાનક ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

રાજકોટ: ગુજરાતના રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં એક દુર્ઘટના થતા ટળી ગઈ છે. મંગળવારની બપોરે આ વિસ્તારમાં એક ત્રણ માળની જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થતાં હોબાળો મચ્યો હતો. ઈમારત ધરાશાયી થતો વીડિયો પણ સામે આવ્યો છે. અચાનક એક મકાન કેવી રીતે જમીનદોસ્ત થઈ ગયું તે આ વીડિયોમાં જોઈ શકાય છે.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઈમારત બહું જૂની અને જર્જરિત હતી. લાંબા સમયથી આ મકાનમાં કોઈ રહેતું ન હતું. મકાનની આસપાસ રહેનારા લોકોનું કહેવું હતું કે, મહાનગરપાલિકા દ્વારા આ અંગે સૂચના પણ આપવામાં આવી હતી. જોકે મકાન સંપૂર્ણ ખાલી હતું. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો મકાનમાં લોકો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

આપણ વાંચો: બેંગલૂરુના ક્રિકેટપ્રેમીઓની દુર્ઘટનાથી મારું હૃદય કંપી ઉઠ્યુંઃ પીએમ મોદી

ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળની નજીક કોઈ ન જઈ શકે તે માટે ચારે બાજુથી વિસ્તારને ઘેરી લીધો હતો. જેથી કાટમાળની આસપાસ કોઈ જાય નહી. કાટમાળના કારણે આસપાસની ઇમારતોને વધુ નુકસાન થયું ન હતું અને પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબુમાં આવી ગઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ ઘટના બાદ આ વિસ્તારમાં આવેલી અન્ય જર્જરીત ઈમારતોનો સર્વે શરૂ કરી દીધો છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તમારી આસપાસ કોઈ આવી ઈમારત છે, તો તેની જાણ કરે. જેથી સમયસર કાર્યવાહી કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button