પોરબંદરમાં રામદેવપીરનો 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ

પોરબંદર: પોરબંદર (Porbandar)માં આવેલા ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીરનો મંડપ મહોત્સવ (Ramdev Pir Mandap Mahotsav) યોજાય છે. આ મંડપ મહોત્સવ (Mandap Mahotsav) દરમિયાન આજે એક દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે બુધવારે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક એ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
50થી 55 ફૂટ ઊંચો મંડપ અચાનક થયો ધરાશાયી
વધારે વગતે વાત કરવામાં આવે તો, રામદેવપીરનો મંડપ અંદાજે 50થી 55 ફૂટ ઊંચો હતો. રામદેવપીરનો મંડપ ધરાશાયી થવાથી નાસભાગ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં દરમિયાન વનરાજભાઇ નવઘણભાઇ ગોરાણિયા નામના વ્યક્તિને માથાના ભાગે ઇજા થવાને કારણે તેમનું મોત થયું છે. જ્યારે 16 લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે. આ દુર્ઘટના દરમિયાન ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોંચી અને લોકોને ઘટનાસ્થળથી દૂર કર્યાં હતાં
આ પણ વાંચો - અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાનું ઉત્સાહભેર આયોજન, ભગવાન મામાને ઘરે ગયા..
મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રિત થયા
મંડપ મહોત્સવની વાત કરવામાં આવે તો, પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આ મહોત્વનું આયોજન કરવામાં આવે છે. ગત રાત્રેથી મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યાં હતાં. આજે સવારે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ કારણથી મંડર નીચે પડ્યો હતો. રામદેવપીર મંડપ મહોત્સવમાં હજારોની સંખ્યામા લોકો એકત્રિત થયા હતા. જેથી જ્યારે મંડપ ધરાશાયી થયો ત્યારે મેળામાં નાસભાગ મચી ગઈ હતી.