
પોરબંદરઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે. જેના કારણે દરિયા પાસે આવેલા વિસ્તારના લોકોને પરેશાન થવું પડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદની આગાહીના કારણે પોરબંદરમાં લોકો પ્રવાસ માટે પહોંચી રહ્યાં છે. 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યા છે છતાં લોકો દરિયા નજીક જઈ રહ્યાં છે. આ દરિયાન જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ગીર સોમનાથના 5 માછીમારો પોરબંદરના દરિયામાં લાપતા
જય સાંકરી આઇ કૃપા નામની બોટ લાપતા થતા 5 માછીમારોનો કોઈ પત્તો મળ્યો નથી. આ તમામ માછીમારો ગીર સોમનાથના હોવાનું પણ જાણવા મળ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો,કિશન મેઘજીભાઈ ડાલકી (ઉ. વ. 46) – ટંડેલ, પ્રભુદાસ રામજીભાઈ આંજણી (ઉ. વ. 50) – ખલાસી, મનસુખભાઈ લાલ પાંજરી (ઉ. વ. 43) – ખલાસી, રમેશ રામાભાઈ લોઢારી (ઉ. વ. 44) – ખલાસી, મુકેશભાઈ (ઉ. વ. 50) – ખલાસી નામના 5 માછીમારો લાપતા થયા છે. આ માછીમારો લાપતા થયા તેમના પરિજનો ખૂબ જ ચિંતિત જોવા મળ્યાં છે. સત્વરે તેમના પરિવારે આ લોકોને શોધી કાઢવા માટે માંગણી કરી હતી.
11 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસા શરૂઆત વરસાદે આખા ગુજરાતને કવર કરી લીધું છે. આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે 11 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…આવતીકાલે કચ્છમાં અતિભારે અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રને પણ ધમરોળશે!