જૂનાગઢ

યાત્રિકો ખાસ નોંધ લે! ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો

જૂનાગઢઃ ચોમાસુ શરૂ થાય અને વરસાદ થયા પછી લોકો જૂનાગઢ ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ખાસ કરીને ચોમાસામાં ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠે છે. જેથી ત્યા મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. અહીં દરેક ઉંમરના લોકો આવતા હોવાથી રોપ-વે શરૂ કરવામાં આવ્યો છે. ગિરનારનો આ રોપ-વે એશિયાનો સૌથી લાંબો રોપ-વે છે. પરંતુ અત્યારે ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે પવન હોવાથી કોઈ જાનહાનિ ના થયા તે માટે સાવચેતીના ભાગ રૂપે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દુર્ઘટના ના સર્જાય તે માટે હાલમાં રોપ-વેની સેવા બંધ કરવામાં આવી

જો તમે અત્યારે ગિરનાર જવા માટે રોપ-વેની આશાએ જૂનાગઢ જૂનાગઢના ગિરનાર પર્વત પર અત્યારે આગાહી પ્રમામે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનમાં રોપ-વે સેવા ચાલુ રાખવી સૌથી મોટું જોખમ છે. જેથી તંત્ર દ્વારા આ રોપ-વે હાલ પૂરતો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપ-વે બંધ રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસો બાદ પવનની ગતિ ઓછી અથવા સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે.

ગિરનાર પર્વત પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે ગુજરાતમાં હવાનું જોર વધી રહ્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદ પણ થઈ રહ્યો છે. ગિરનાર રોપ-વેમાં રોજ હજારો યાત્રિકો બેસતા હોય છે, જેથી અત્યારે કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ રોપ-વે કંપની દ્વારા હાલમાં રોપ-વેની સેવા અટકાવી દેવામાં આવી છે. ભારે પવન પર્વત પર ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. આગામી ટુંક સમયમાં રોપ-વે ફરી શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button