વેકશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર! 2 મહિનામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા

ગીર સોમનાથઃ સોમનાથ (Somnath)ને હિંદુ ધર્મમાં પવિત્ર યાત્રાધામ ગણવામાં આવે છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દેશના બાર જ્યોર્તિલિંગમાનું એક પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ (First Jyotirlinga Somnath Mahadev)ના દર્શનાર્થે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ પ્રત્યક્ષ રીતે દર્શન કરવા માટે પધારે છે. અહીં આવાત દર્શનાર્થીઓની સુવિધા માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ કાળજી રાખવામાં આવે છે અને જેના કારણે સોમનાથ મહાદેવ મંદિર (Shree Somnath Temple) ખાતે દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ છેલ્લા 2 મહિનાની વાત કરવામાં આવે તો, 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે પધાર્યાં હતા.
15,29,000 જેટલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ વર્ષે ઉનાળુ વેકેશનના છેલ્લા બે મહિના એટલે કે, એપ્રિલ અને મે મહિનામાં કુલ 15,29,000 જેટલા શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. વેકેશનના અંતિમ શનિ-રવિમાં લોકોએ સોમનાથના વાતાવરણનો મન ભરીને આનંદ માણ્યો હતો. મોટી સંખ્યામાં આવીને ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવિ હતી. આંકડાની વાત કરવામાં આવે તો, 1લી મે થી 31મી મે સુધીમાં 8,15,000 ભક્તોએ દર્શન કર્યા, જ્યારે એપ્રિલ મહિનામાં 7,15,000 ભક્તોએ મહાદેવના દર્શન કર્યાં હતાં. સોમનાથ હવે ભક્તો માટે સૌથી મોટું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે.
એપ્રિલ મહિનામાં 7,15,000 ભક્તોએ મહાદેવના દર્શન કર્યાં
હિંદુઓ ઈશ્વરની પૂજા કરવાને પોતાનું કર્તવ્ય માને છે. ઈશ્વરની પૂજા કરીને પોતે જે પણ પાપ કે ખોટું કર્યું હોય તેની ક્ષમા માંગતા હોય છે. એટલે જ નહીં પરંતુ મોટાભાગના શ્રદ્ધાળુઓ તો માત્ર પ્રભુનો આભાર માનવા માટે દર્શનાર્થે જતા હોય છે. હવે સોમનાથમાં ભક્તોની સંખ્યા વધી રહી છે. સોમનાથ વોક-વે, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર અને ભાલકાતીર્થ પર પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે. ગત વર્ષે ઉનાળુ વેકેશનના એપ્રિલ 2024માં 5.64 લાખ જ્યારે મે-2025માં 9.24 લાખ શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા. આ વર્ષની વાત કરવામાં આવે તો, છેલ્લા બે મહિનામાં 2.5 લાખ ભક્તોએ વિના મૂલ્યે ભોજનનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પણ વાંચો…સોમનાથ જવા માટે સરળતાઃ અમદાવાદથી વેરાવળ વચ્ચે દોડશે વંદે ભારત…