ઓખાના અરબી સમુદ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ

દ્વારકા: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. આ વચ્ચે 23 જૂનના સાંજે 6 વગ્યા આસપાસ દ્વારકાના ઓખા નજીક અરબી સમુદ્રમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
ઓખા નજીક ભૂકંપની વિગતો
આ ભૂકંપ દ્વારકાથી 66 કિલોમીટર પશ્ચિમોત્તર દિશામાં, અરબી સમુદ્રમાં 22.623 અક્ષાંશ અને 68.471 રેખાંશ પર નોંધાયો. તેનું કેન્દ્ર ધરતીની સપાટીથી માત્ર 1300 મીટરની ઊંડાઈએ હતું, જે ખૂબ જ છીછરું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, આ ભૂકંપ ધરતીના ઉપલા પડમાં ફોલ્ટ લાઈનની હિલચાલને કારણે આવ્યો હોઈ શકે. આ પહેલાં 9 મે, 2020ના રોજ માંગરોળ-ચોરવાડ નજીકના દરિયામાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં ભૂકંપનો સિલસિલો
ગુજરાતમાં ચોમાસાની સાથે ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. 5 જૂનથી 22 જૂન, 2025 દરમિયાન 17 દિવસમાં કુલ 6 ભૂકંપ નોંધાયા છે. આમાં સૌથી મોટો ભૂકંપ 8 જૂને તલાલા ગીરમાં 3.5ની તીવ્રતાનો નોંધાયો હતો. સૌરાષ્ટ્ર ભૂકંપના ઝોન-4માં આવે છે, જ્યાં ભૂકંપની શક્યતા વધુ હોય છે. કચ્છ પણ ઝોન-4નો ભાગ છે, જે રાજ્યનો સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર ગણાઈ છે.
ભૂકંપની અસર અને સાવચેતી
આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાનના અહેવાલ નથી. જોકે, દરિયામાં ભૂકંપની ઘટનાઓ દુર્લભ હોવાથી વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચાયું છે. સ્થાનિક વહીવટ અને નાગરિકોને સાવચેત રહેવાનું સૂચન આપવામાં આપ્યું છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રના તાલાલામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, રહેવાસીઓ એલર્ટ…